અમદાવાદીઓમાં ક્રિકેટનો ઉત્સાહ ચરમસીમાએ, T20 વર્લ્ડ કપ ફાઇનલ પહેલા હોટલના ભાડા આસમાને

અમદાવાદ શહેરમાં ક્રિકેટનો ઉત્સાહ જોરદાર જોવા મળી રહ્યો છે. T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈ દેશ-વિદેશમાંથી હજારો ક્રિકેટપ્રેમીઓ અમદાવાદમાં પહોંચી રહ્યા છે. આ કારણે શહેરની હોટલ અને ગેસ્ટહાઉસ ફુલ થઈ ગઈ છે, અને રૂમના ભાડામાં નોંધપાત્ર વધારો થયો છે. મેચ નિહાળવા માટે ન્યૂઝીલેન્ડ સહિત અન્ય દેશોમાંથી વિદેશી પર્યટકો અને NRI ક્રિકેટ ફેન્સ અમદાવાદમાં આવ્યા છે. ઘણી હોટલો અને ગેસ્ટહાઉસમાં રૂમ ઉપલબ્ધ ન હોવાને કારણે હોટલ સંચાલકોએ રૂમના ભાડામાં 2-3% નો વધારો કર્યો છે. સામાન્ય દિવસોમાં મળતા ભાડા કરતાં હાલ થોડો વધારો થયો છે, પરંતુ ક્રિકેટપ્રેમીઓ માટે આ ખર્ચ મહત્વપૂર્ણ પડતો નથી. વિદેશી મહેમાનોની વધતી સંખ્યા શહેરના પર્યટન સ્થળો, રેસ્ટોરાં અને બજારોમાં આંતરરાષ્ટ્રીય માહોલ ઊભો કરી રહી છે. ફાઇનલ મેચના નજીક આવતા, અમદાવાદમાં ક્રિકેટનો ઉત્સાહ અને વ્યવસાયિક…

ND vs NZ ફાઇનલ માટે રેલવેની તૈયારી, મુંબઈ-અમદાવાદ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો

અમદાવાદમાં યોજાનારી ટી20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વેએ ક્રિકેટ ચાહકો માટે ખાસ વ્યવસ્થા કરી છે. ફાઇનલ જોવા માટે દેશભરથી મોટી સંખ્યામાં ચાહકો અમદાવાદ પહોંચવાના હોવાથી પશ્ચિમ રેલ્વેએ મુંબઈ અને અમદાવાદ વચ્ચે ખાસ સુપરફાસ્ટ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. ભારતમાં હાલમાં ક્રિકેટનો જબરદસ્ત માહોલ જોવા મળી રહ્યો છે. 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી સેમિફાઇનલ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 7 રનથી હરાવીને ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે. હવે 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ રમાશે. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ગણાતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લગભગ 1 લાખ દર્શકો એકસાથે મેચનો આનંદ લઈ શકે છે. ફાઇનલ મેચને ધ્યાનમાં રાખીને દેશભર તેમજ વિદેશમાંથી હજારો ચાહકો અમદાવાદ આવવાના હોવાથી રેલ્વેએ મુસાફરોને વધારાની સુવિધા…

T20 વર્લ્ડકપ પહેલાં રિંકૂ સિંહ પરિવારિક ઈમરજન્સી ઘરે પરત ફર્યો, જાણો શું છે કારણ

ભારતીય ટીમનો સ્ટાર બેટર રિંકૂ સિંહ પરિવારની ગંભીર સ્થિતિને કારણે ટીમ ઈન્ડિયાનો કેમ્પ છોડીને ઘર પરત ફર્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, રિંકૂના પિતાની તબિયત અચાનક બગડી છે અને તેમને ગ્રેટર નોઈડાના સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રિંકૂના પિતા હાલ વેંટિલેટર સપોર્ટ પર છે અને ડોક્ટરો તેમની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. આ પરિસ્થિતિને જોતા, ઝિમ્બાબ્વે સામેની મેચમાં રિંકૂ સિંહ રમશે કે નહીં તે હજુ અનુમાન લગાવવામાં મુશ્કેલ છે. તેની જગ્યાએ અક્ષર પટેલને તક આપવામાં આવી શકે છે. પ્રેક્ટિસ સેશનમાં હાજરી ન રહી મંગળવારે ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ સેશન યોજાઈ હતી, પરંતુ રિંકૂ એ તેમાં હાજરી આપી નહોતી. બાકીના તમામ ખેલાડીઓએ અભ્યાસ કર્યો હતો. આગળનો નિર્ણય ટીમ મેનેજમેન્ટ…

T-20 વર્લ્ડ કપમાં ભારત સામે રમશે પાકિસ્તાન, ICCએ માંગણીઓ સ્વીકારવાનો કર્યો ઇનકાર

ભારત-પાકિસ્તાન વચ્ચેની T-20 વર્લ્ડ કપ 2026ની મેચને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. ICCના નિર્ણય મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 વર્લ્ડ કપમાં મેચ રમાશે, જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશ દ્વારા રજૂ કરાયેલી અનેક માંગણીઓને ફગાવી દેવામાં આવી છે. બાંગ્લાદેશને કોઈ દંડ નહીં ICCએ સ્પષ્ટ કર્યું છે કે આ સમગ્ર મામલે બાંગ્લાદેશને કોઈપણ પ્રકારનો દંડ કરવામાં આવશે નહીં. ભલે બાંગ્લાદેશ વર્તમાન વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું હોય, તેમ છતાં તેને ICCની આવકમાંથી મળતો હિસ્સો યથાવત રાખવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ નિર્ણય ICCએ સ્વતંત્ર રીતે લીધો છે અને તેમાં કોઈપણ ક્રિકેટ બોર્ડનું દબાણ નથી. પાકિસ્તાનને વધુ એક ફટકો ભારત-પાકિસ્તાન મેચને લઈને પાકિસ્તાનને ICC તરફથી વધુ એક મોટો ઝટકો…

ICC T20 વર્લ્ડ કપ: બાંગ્લાદેશની મુલાકાત પર પ્રતિનિધિમંડળનો સંકેત, BCB સાથે વાતચીત ચાલુ

બાંગ્લાદેશી મીડિયાના અહેવાલ મુજબ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) નું પ્રતિનિધિમંડળ 7 ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકામાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની ટીમની ભાગીદારી અંગે ચર્ચા કરવા માટે બાંગ્લાદેશ આવી શકે છે. આ માહિતી રમતગમત સલાહકાર આસિફ નઝરુલે દ્વારા ફોરેન સર્વિસ એકેડેમીમાં જાહેર કરવામાં આવી છે. તેમણે કહ્યું, “તાજેતરના અપડેટ અનુસાર, BCBના પ્રમુખ અમીનુલ ઇસ્લામ બુલબુલે મને જણાવ્યું કે ICC ટીમ ચર્ચા માટે બાંગ્લાદેશ આવી શકે છે. અમારો વલણ ફેરફાર થવાનો નથી. અમે વર્લ્ડ કપમાં રમવા ઉત્સુક છીએ અને તેની આયોજન અશક્ય નથી.” BCBનું વલણ મજબૂત બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ના અધિકારીએ પુષ્ટિ આપી છે કે ICC સાથે વાતચીત ચાલી રહી છે, પરંતુ પ્રતિનિધિમંડળની મુલાકાતનો સમય હજુ નક્કી નથી. અધિકારીએ જણાવ્યું, “અમે વાતચીત કરી રહ્યા છીએ અને એક…