T-20 વર્લ્ડ કપમાં ભારત સામે રમશે પાકિસ્તાન, ICCએ માંગણીઓ સ્વીકારવાનો કર્યો ઇનકાર

ભારત-પાકિસ્તાન વચ્ચેની T-20 વર્લ્ડ કપ 2026ની મેચને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. ICCના નિર્ણય મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 વર્લ્ડ કપમાં મેચ રમાશે, જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશ દ્વારા રજૂ કરાયેલી અનેક માંગણીઓને ફગાવી દેવામાં આવી છે.

બાંગ્લાદેશને કોઈ દંડ નહીં
ICCએ સ્પષ્ટ કર્યું છે કે આ સમગ્ર મામલે બાંગ્લાદેશને કોઈપણ પ્રકારનો દંડ કરવામાં આવશે નહીં. ભલે બાંગ્લાદેશ વર્તમાન વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું હોય, તેમ છતાં તેને ICCની આવકમાંથી મળતો હિસ્સો યથાવત રાખવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ નિર્ણય ICCએ સ્વતંત્ર રીતે લીધો છે અને તેમાં કોઈપણ ક્રિકેટ બોર્ડનું દબાણ નથી.

પાકિસ્તાનને વધુ એક ફટકો
ભારત-પાકિસ્તાન મેચને લઈને પાકિસ્તાનને ICC તરફથી વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. બેઠક દરમિયાન પાકિસ્તાન અને બાંગ્લાદેશે ICC સમક્ષ કેટલીક શરતો અને માંગણીઓ રજૂ કરી હતી, પરંતુ ICCએ મોટાભાગની માંગણીઓને સ્પષ્ટપણે નકારી કાઢી છે.

બાંગ્લાદેશને વળતર રૂપે ટુર્નામેન્ટ મળવાની શક્યતા
ICCએ સ્વીકાર્યું છે કે ગયા વર્ષે બાંગ્લાદેશ મહિલાઓની T-20 વર્લ્ડ કપ યજમાનીથી વંચિત રહ્યું હતું. દેશમાં થયેલા રમખાણોને કારણે આ ટુર્નામેન્ટ બાંગ્લાદેશથી દુબઈ ખસેડવામાં આવ્યું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ICC હવે આગામી ચક્રમાં બાંગ્લાદેશને કોઈ મોટી ICC ઇવેન્ટની યજમાની આપવાનો વિચાર કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અંડર-19 વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટ બાંગ્લાદેશને આપવામાં આવી શકે છે.

દ્વિપક્ષીય શ્રેણી અને ત્રિકોણીય સિરીઝની માંગ ફગાવી
બેઠક દરમિયાન બાંગ્લાદેશ અને પાકિસ્તાને એવી માંગણી પણ કરી હતી કે ICC ભારતને પાકિસ્તાન સામે દ્વિપક્ષીય ક્રિકેટ રમવા માટે કહે. જોકે ICCએ સ્પષ્ટપણે જણાવ્યું કે દ્વિપક્ષીય શ્રેણી તેના અધિકારક્ષેત્રમાં આવતી નથી. આ જ આધાર પર ભારત-પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચે ત્રિકોણીય શ્રેણી યોજવાનો પ્રસ્તાવ પણ નકારી કાઢવામાં આવ્યો.

ભારતના બાંગ્લાદેશ પ્રવાસ પર પણ સ્પષ્ટતા
આ વર્ષે ભારતના બાંગ્લાદેશ પ્રવાસ અંગે પણ ચર્ચા થઈ હતી. ICCએ સ્પષ્ટ કર્યું કે તે કોઈપણ દેશને બીજા દેશનો પ્રવાસ કરવા માટે દબાણ કરી શકતું નથી. આવા નિર્ણય સંબંધિત ક્રિકેટ બોર્ડ અને સરકારો પર આધારિત હોય છે.

પાકિસ્તાનને ICCનું અલ્ટીમેટમ
લાહોરમાં યોજાયેલી લાંબી બેઠક બાદ પણ પાકિસ્તાને 15 ફેબ્રુઆરીએ ભારત સામેની મેચ અંગે તાત્કાલિક નિર્ણય લીધો ન હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન મોહસીન નકવીએ જણાવ્યું હતું કે તેઓ આ મુદ્દે વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે ચર્ચા કરવા માંગે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

CM ભુપેન્દ્ર પટેલ ફ્રાન્સિસ્કો પ્રવાસ પૂર્ણ કરી વોશિંગ્ટન D.C. જવા રવાના….

CM ભૂપેન્દ્ર પટેલનું ગુજરાત ડેલિગેશન સાન ફ્રાન્સિસ્કો પ્રવાસ પૂર્ણ કરી વોશિંગ્ટન D.C. રવાના -> ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળનું ગુજરાત ડેલિગેશન અમેરિકાના પ્રવાસના મહત્વપૂર્ણ તબક્કા તરીકે સાન ફ્રાન્સિસ્કોનો પ્રવાસ પૂર્ણ કરીને બુધવાર, 19 ઓગસ્ટ 2026ના રોજ વોશિંગ્ટન D.C. જવા રવાના થયું છે. સાન ફ્રાન્સિસ્કોમાં વિવિધ ટેક્નોલોજી અને ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ સાથેની મહત્વપૂર્ણ બેઠકો બાદ હવે ગુજરાત ડેલિગેશનનો આગળનો તબક્કો વોશિંગ્ટન D.C.માં શરૂ થશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ વિદેશ પ્રવાસે છે. તેમણે પોતાના અમેરિકા પ્રવાસના મહત્વના ચરણ રૂપે સેન ફ્રાન્સિસ્કો (San Francisco) ખાતેનો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધો છે અને હવે તેઓ આગામી બેઠકો અને વ્યૂહાત્મક ચર્ચાઓ માટે વોશિંગ્ટન ડી.સી. (Washington D.C.) જવા રવાના થયા છે. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત અને અમેરિકા વચ્ચે ટેક્નોલોજી,…

IAS તુકારામ મુંઢે છે કોણ ? હાલ માં તેઓ ખુબ ચર્ચા માં છે જાણો…

IAS તુકારામ મુંઢે કોણ છે? ‘સિંઘમ’ તરીકે જાણીતા અધિકારીની કહાની, 21 વર્ષમાં અનેક ટ્રાન્સફર છતાં કામ કરવાની અલગ ઓળખ -> IAS : ભારતીય વહીવટી સેવાના અધિકારી તુકારામ હરીભાઉ મુંઢે (Tukaram Mundhe) ફરી એકવાર ચર્ચામાં છે. મહારાષ્ટ્રમાં ખાદ્ય સુરક્ષા અને ભેળસેળ સામે ચાલી રહેલી કડક કાર્યવાહીને કારણે તેઓ હાલ સમાચારોમાં છવાયેલા છે. કડક નિર્ણયો, નિયમોના પાલન પર ભાર અને નિડર વહીવટી શૈલીને કારણે તેમને ઘણીવાર ‘સિંઘમ IAS’ તરીકે ઓળખવામાં આવે છે. દેશના સૌથી ચર્ચિત, ઈમાનદાર અને પોતાના કડક નિર્ણયો માટે જાણીતા IAS ઓફિસર તુકારામ મુંઢે (Tukaram Mundhe) ફરી એકવાર સોશિયલ મીડિયા અને મીડિયાની હેડલાઇન્સમાં છવાયેલા છે. જ્યારે પણ કોઈ સિનિયર IAS ઓફિસરની વાત આવે અને તેમાં ‘પ્રામાણિકતા’, ‘જનહિત’ અને ‘ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝુંબેશ’ જેવા શબ્દો જોડાય, ત્યારે તુકારામ…