નવસારી મહાનગરપાલિકા દ્વારા સફાઈ સાથીઓ માટે ‘ઝીરો વેસ્ટ તાલીમ શિબિર’ યોજાઈ
સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 અને સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 અંતર્ગત નવસારી શહેરને ‘ઝીરો વેસ્ટ’ બનાવવાના હેતુસર નવસારી મહાનગરપાલિકા દ્વારા એ.એમ.સી ટાઉનહોલ ખાતે સફાઈ કર્મચારીઓ માટે વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 10:30 થી સાંજે 4:00 કલાક સુધી યોજાયેલી આ શિબિરમાં કચરાના વૈજ્ઞાનિક વ્યવસ્થાપન અને વર્ગીકરણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. તાલીમ દરમિયાન ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટના નિષ્ણાતોએ સફાઈ કર્મચારીઓને કચરાના સંચાલન, રિસાયક્લિંગ પદ્ધતિઓ અને સ્વચ્છતાની આધુનિક ટેકનિક અંગે પ્રાયોગિક માહિતી આપી. પ્લાસ્ટિક, કાગળ, ધાતુ, બાયો-મેડિકલ કચરો તેમજ ઇ-વેસ્ટના યોગ્ય નિપટારા અંગે પણ માર્ગદર્શન અપાયું. કાર્યક્રમના પ્રારંભે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કર્મચારીઓને સંબોધતા જણાવ્યું હતું કે તાલીમમાં પ્રાપ્ત જ્ઞાનથી શહેરની સ્વચ્છતા વધુ મજબૂત બનશે અને સ્વચ્છ ભારત મિશનના લક્ષ્યો હાંસલ કરવામાં સહાય મળશે. મ્યુનિસિપલ…
હોટલ અને રેસ્ટોરન્ટમાં અન્નના બગાડને અટકાવવા ફેડરેશન અભિયાન, ગ્રાહકોને મળશે 5% ડિસ્કાઉન્ટ
હોટલ અને રેસ્ટોરન્ટમાં અન્નના બગાડને અટકાવવા માટે ગુજરાત રાજ્ય હોટલ ફેડરેશન નવી પહેલ લાવી રહી છે. આ અભિયાન હેઠળ, જે ગ્રાહક અણજાણીને પણ અન્ન બગાડશે નહીં, તેમને 5% ડિસ્કાઉન્ટ આપવા માટે અપીલ કરવામાં આવી છે. પ્રારંભમાં ફેડરેશનના સભ્યો આ ડિસ્કાઉન્ટ આપશે અને પ્રાથમિક તબક્કામાં દર રવિવારે 5% ડિસ્કાઉન્ટ અમલમાં મુકવામાં આવશે. અભિયાનને યોગ્ય પ્રતિસાદ મળતા, નિયમિત ધોરણે ડિસ્કાઉન્ટ નિયમિત રીતે લાગુ કરવામાં આવશે. પ્રતિષ્ઠિત હોટલ અને રેસ્ટોરન્ટોમાં, ગેટ અને મેનુ પર ડિસ્કાઉન્ટની માહિતી સ્પષ્ટ રીતે દર્શાવાશે, જેથી ગ્રાહકોને માહિતી મળી શકે. ગુજરાત રાજ્ય હોટલ ફેડરેશન દ્વારા આ અભિયાન હાથ ધરવાનું મુખ્ય હેતુ છે કે હોટલ, રેસ્ટોરન્ટ અને બેંકવેટ કાર્યક્રમોમાં અન્નના બગાડને ઘટાડવામાં મદદ કરવી અને જાગૃતિ લાવવી. આ પહેલથી અન્નના બગાડમાં ઘટાડો થશે, પરંતુ ગ્રાહકોમાં પર્યાવરણ…
પેપર કપમાં ચા પીવાથી કેન્સર થાય છે?, નિષ્ણાત ડૉક્ટરે આપ્યો વૈજ્ઞાનિક જવાબ!
ચા પ્રેમીઓ માટે મહત્વના આરોગ્ય સમાચાર સામે આવ્યા છે. IIT ખડગપુરના એક તાજેતરના અભ્યાસ અનુસાર, જો ગરમ ચા અથવા અન્ય ગરમ પ્રવાહી 15 મિનિટ સુધી પેપર કપમાં રાખવામાં આવે, તો આશરે 25,000 જેટલા માઇક્રોપ્લાસ્ટિક કણો તે ચા સાથે શરીરમાં જઈ શકે છે. આ કણોમાં પેલેડિયમ, ક્રોમિયમ અને કેડમિયમ જેવી ઝેરી ધાતુઓ હોવાની સંભાવના છે, જે કેન્સરનું જોખમ વધારી શકે છે. આ દાવા પર સ્પષ્ટતા કરતાં ઈન્દોરના જાણીતા ઓન્કોલોજિસ્ટ ડૉ. સુનીલ લોકવાણીએ જણાવ્યું કે આ મુદ્દે ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. તેમના મુજબ, કેન્સર એક જ કારણથી થતું નથી, પરંતુ અનેક પરિબળો તેનું જોખમ વધારતા હોય છે. ગરમ પ્રવાહી પેપર કપના આંતરિક પ્લાસ્ટિક કોટિંગને ઓગાળી શકે છે, જેના કારણે નાનાં પ્લાસ્ટિક કણો શરીરમાં જઈ…









