વૃદ્ધ માતા-પિતા બાળકોને સંપત્તિમાંથી કરી શકે બેદખલ, સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
વૃદ્ધ માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના અધિકારોને લઈને સુપ્રીમ કોર્ટે બુધવારે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, જો વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ અને ગરિમા માટે જરૂરી હોય તો સંબંધિત ટ્રિબ્યુનલ તેમના બાળકો અથવા પરિવારના સભ્યોને સંપત્તિમાંથી બેદખલ કરવાનો આદેશ આપી શકે છે. કોર્ટે કહ્યું કે વધતી ઉંમરનો અર્થ અસુરક્ષા, અપમાન અથવા ઉપેક્ષા નથી. દરેક વ્યક્તિને જીવનના અંતિમ તબક્કા સુધી ગરિમા, સન્માન અને સુરક્ષા સાથે જીવવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે આ સાથે અલ્હાબાદ હાઈકોર્ટના તે નિર્ણયને રદ કર્યો છે, જેમાં દીકરા અને પુત્રવધૂને મકાનમાંથી બહાર કાઢવાના ટ્રિબ્યુનલના આદેશને રદ કરવામાં આવ્યો હતો. વરિષ્ઠ નાગરિકોની ગરિમા સૌથી મહત્વપૂર્ણ જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ આલોક અરાધેની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. બેન્ચે જણાવ્યું કે વરિષ્ઠ…
કફ સિરપથી બાળકોના મોતનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, કરવામાં આવી આ માંગ
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપથી મૃત્યુ પામેલા માસૂમ બાળકોનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલાની સીબીઆઈ તપાસની માંગ કરતી જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. વકીલ વિશાલ તિવારી દ્વારા દાખલ કરાયેલી PILમાં રાષ્ટ્રીય ન્યાયિક આયોગ/નિષ્ણાત સમિતિ દ્વારા તપાસ કરાવવા અને પ્રતિબંધિત કોલ્ડ્રિફ કફ સિરપના તમામ હાલના સ્ટોકને જપ્ત કરવાની માંગ કરવામાં આવી છે. તપાસ મામલે કરી આ માંગ અરજીમાં એવી પણ માંગ કરવામાં આવી હતી કે તમામ FIR ની તપાસ CBI દ્વારા કરવામાં આવે. કફ સિરપના ઉત્પાદન, નિયમન, પરીક્ષણ અને વિતરણની તપાસ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળ કરવામાં આવે. બાળકોએ ગુમાવ્યા જીવ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ‘કોલ્ડ્રિફ’ કફ સિરપના સેવનથી બાળકોના મૃત્યુનો સિલસિલો સતત ચાલુ છે. સત્તાવાર આંકડા અનુસાર, બંને રાજ્યોમાં…
વકીલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બીઆર ગવઈ પર જૂતું ફેંકવાનો કર્યો પ્રયાસ, જાણો શું છે મામલો
આજે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવઈની સામે એક વકીલે કોર્ટમાં હંગામો કરવાનો પ્રયાસ કર્યો. એવો આરોપ છે કે વકીલે CJI પર જૂતું ફેંકવાનો પણ પ્રયાસ કર્યો હતો. ઘટના પછી પોલીસે તરત જ આરોપી વકીલની અટકાયત કરી હતી. દરમિયાન, સમગ્ર ઘટના દરમિયાન જસ્ટિસ ગવઈ શાંત રહ્યા, અને કોર્ટની કાર્યવાહી રાબેતા મુજબ ચાલુ રહી. તેમણે કહ્યું કે આ બાબતો “મને અસર કરતી નથી.” અહેવાલ મુજબ વકીલ ડેસ્ક પર ગયા, પોતાનો જૂતો કાઢીને ન્યાયાધીશ પર ફેંકવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોર્ટ સુરક્ષાએ સમયસર દરમિયાનગીરી કરી અને તેમને બહાર કાઢ્યા. જ્યારે તેઓ જઈ રહ્યા હતા, ત્યારે તેમને કહેતા સાંભળવામાં આવ્યા, “હું સનાતન ધર્મનું કોઈ અપમાન સહન કરીશ નહીં.” આરોપી વકીલની ઓળખ રાકેશ કિશોર તરીકે થઈ છે, જે 2011 માં સુપ્રીમ…









