પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં શાંતિ રેલી દરમિયાન બ્લાસ્ટ: 7ના મોત, 18 ઘાયલ

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં રવિવારે એક મોટી વિસ્ફોટની ઘટના સામે આવી છે. સ્વાત જિલ્લામાં આયોજિત એક શાંતિ રેલી દરમિયાન થયેલા શક્તિશાળી બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે, જ્યારે 18થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. પાકિસ્તાનમાં પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના આત્મઘાતી હુમલો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, સુરક્ષા એજન્સીઓ દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને હુમલાખોરો અંગે માહિતી મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. પાકિસ્તાનમાં શાંતિ રેલી દરમિયાન અચાનક થયો વિસ્ફોટ પાકિસ્તાનમાં મળતી માહિતી અનુસાર, આ રેલી સ્થાનિક આદિવાસી સંગઠન ‘સ્વાત અમન જિરગા’ દ્વારા આયોજિત કરવામાં આવી હતી. સ્વાત જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સુરક્ષાની સ્થિતિને લઈને…

પાકિસ્તાનના ભક્કારમાં આત્મઘાતી વિસ્ફોટ: 2 પોલીસ જવાનોના મોત, 4 ઘાયલ

પાકિસ્તાનના ભક્કાર જિલ્લામાં મંગળવારે સાંજે આત્મઘાતી હુમલાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. ડેરા ઈસ્માઈલ ખાનને પંજાબ પ્રાંત સાથે જોડતા પુલ નજીક આવેલી પોલીસ ચેકપોસ્ટને નિશાન બનાવી આ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. ઘટનામાં બે પોલીસ કર્મીઓના મોત થયા છે જ્યારે ચાર અન્ય જવાનો ઘાયલ થયા છે. CCTVમાં કેદ થયા દ્રશ્યો જિલ્લા પોલીસ અધિકારી શહેઝાદ રફીકના જણાવ્યા મુજબ, પોલીસ ટીમ સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી ત્યારે હુમલાખોર ચેકપોસ્ટ તરફ આગળ વધ્યો. સુરક્ષાકર્મીઓની નજીક પહોંચતા જ તેણે પોતાના શરીર પર બાંધેલા વિસ્ફોટકો સક્રિય કરી દીધા. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. વિસ્તારમાં અફરાતફરી વિસ્ફોટ બાદ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સુરક્ષા કારણોસર ખૈબર પખ્તુનખ્વા અને પંજાબને જોડતો મુખ્ય હાઈવે અસ્થાયી રીતે બંધ રાખવામાં આવ્યો છે. ડેરા દરિયા…

પાકિસ્તાન : ઇસ્લામાબાદ આત્મઘાતી વિસ્ફોટ બાદ PM શાહબાઝ શરીફે ભારત પર લગાવ્યો ગંભીર આરોપ

ઇસ્લામાબાદ કોર્ટની બહાર થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ બાદ, જેમાં 12 લોકોના મોત થયા હતા, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ફરી એકવાર ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. શરીફે આ હુમલાઓ માટે “ભારત પ્રાયોજિત આતંકવાદી સંગઠનો”ને જવાબદાર ઠેરવ્યા છે અને કહ્યું કે આ હુમલાઓનો હેતુ પાકિસ્તાનને અસ્થિર બનાવવાનો છે. પાકિસ્તાનની સરકારી સમાચાર એજન્સી APP (Associated Press of Pakistan) અનુસાર, શરીફે અફઘાન સરહદ નજીકના વાનામાં આવેલી કેડેટ કોલેજ પર થયેલા હુમલામાં પણ નવી દિલ્હીની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. APP એ તેમને ટાંકીને કહ્યું કે, “આ હુમલાઓ ભારત-પ્રાયોજિત આતંકવાદનો ભાગ છે.” વિશ્લેષકોનું કહેવું છે કે પાકિસ્તાનના વડા પ્રધાનનું આ નિવેદન દેશની આંતરિક નિષ્ફળતાઓ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે. પાકિસ્તાન લાંબા સમયથી આતંકવાદી સંગઠનોને આશ્રય આપતું આવ્યું છે અને હવે…