દિલ્હી : જંતર-મંતર વિવાદમાં રાજકીય ઘમાસાણ, કિરેન રિજિજુના દાવા પર રાહુલ ગાંધીનો આકરો પ્રહાર

દિલ્હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીને લઈને કેન્દ્ર સરકાર અને વિપક્ષ વચ્ચેનો રાજકીય વિવાદ ફરી ઉગ્ર બન્યો છે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ પોલીસ કાર્યવાહીને યોગ્ય ગણાવતા ગંભીર ઈજા કે જાનહાનિ ન થઈ હોવાનો દાવો કર્યો હતો. તેના જવાબમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ રિજિજુના નિવેદનને પડકારતાં વિદ્યાર્થીઓ પર કથિત રીતે થયેલી પોલીસ કાર્યવાહીના મુદ્દે સવાલો ઉઠાવ્યા અને સરકાર પર સત્ય છુપાવવાનો આરોપ લગાવ્યો. આ સમગ્ર મામલો હવે સંસદથી લઈને રાજકીય મંચ સુધી ચર્ચાનો વિષય બન્યો છે. જંતર-મંતર વિવાદમાં કિરેન રિજિજુએ શું કહ્યું? કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જંતર-મંતર પર થયેલા મોટા વિરોધ પ્રદર્શનનો ઉલ્લેખ કરીને દિલ્હી પોલીસ અને વહીવટી તંત્રની કામગીરીનો બચાવ…

NEET પેપર લીક મામલે મૌન કેમ રહ્યા? રાઘવ ચઢ્ઢા, કહ્યું- હવે માત્ર પ્રશ્ન નહીં પરંતુ….

NEET પેપર લીક મામલે લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચા વચ્ચે રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ પોતાનું મૌન તોડ્યું છે. એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા દરમિયાન તેમણે જણાવ્યું કે ઘણા લોકો તેમને સતત પૂછતા હતા કે તેઓ NEET પેપર લીક જેવા ગંભીર મુદ્દે કેમ બોલ્યા નહોતા. NEET મામલે રાઘવ ચઢ્ઢાએ સંસદમાં પોતાના મૌન પાછળનું કારણ સમજાવતા કહ્યું કે અગાઉ જ્યારે તેઓ વિપક્ષમાં હતા ત્યારે સરકારને પ્રશ્ન પૂછવાની જવાબદારી તેમની હતી, પરંતુ હવે તેઓ સત્તા પક્ષની ટ્રેઝરી બેન્ચનો ભાગ છે. તેથી તેમની ભૂમિકા માત્ર પ્રશ્નો ઉઠાવવાની નહીં પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ શોધવામાં સહયોગ કરવાની છે. માત્ર નિવેદન નહીં, ઉકેલ સાથે વાત કરવા માંગતા હતા રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું કે NEET પેપર લીક જેવા મુદ્દે તેઓ માત્ર…

CJPના અલ્ટીમેટમ બાદ સરકારે પ્રદર્શનકારીઓ સામેની કાર્યવાહી અંગે કેન્દ્રે મંગાવી વિગતો

NEET સહિત વિવિધ મુદ્દાઓને લઈને દેશભરમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ કેન્દ્ર સરકારે પ્રદર્શનકારીઓ સામે થઈ રહેલી પોલીસ કાર્યવાહીને લઈને મહત્વપૂર્ણ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકાર એવા રાજ્યો પાસેથી માહિતી મંગાવી રહી છે જ્યાં પ્રદર્શનકારીઓ સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. સરકારનું કહેવું છે કે શાંતિપૂર્ણ અને કાયદેસર રીતે વિરોધ નોંધાવનાર નાગરિકો સામે કોઈપણ પ્રકારની અન્યાયપૂર્ણ કાર્યવાહી થવી જોઈએ નહીં. આ ઘટનાક્રમ બાદ ફરી એકવાર વિદ્યાર્થીઓના આંદોલન અને પોલીસ કાર્યવાહીનો મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ રાજ્યોમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનો બાદ અનેક જગ્યાએ અટકાયત, FIR અને પોલીસ કાર્યવાહી અંગેના દાવાઓ…

NEET પેપર લીક વિવાદ વચ્ચે કિરણ બેદીનું નિવેદન ચર્ચામાં, કહ્યું- ‘વિદ્યાર્થીઓ રસ્તા પર આવે એ પહેલાં સિસ્ટમને સાંભળવું પડશે’

NEET પેપર લીક વિવાદને લઈને દેશભરમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે પૂર્વ IPS અધિકારી અને પુડુચેરીના પૂર્વ ઉપરાજ્યપાલ કિરણ બેદીનું નિવેદન ચર્ચામાં આવ્યું છે. જંતર-મંતરથી શરૂ થયેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના આંદોલન અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે કિરણ બેદીએ શાસન વ્યવસ્થા, શિક્ષણ સંસ્થાઓ અને જવાબદારીના મુદ્દે પોતાની વાત રજૂ કરી છે. કિરણ બેદીએ કહ્યું કે જ્યારે કોઈ મુદ્દાને લઈને વિદ્યાર્થીઓ અને પોલીસ સામસામે આવી જાય છે ત્યારે તે માત્ર કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન નથી રહેતો, પરંતુ તે તંત્રની કાર્યપદ્ધતિ અને સંવાદ વ્યવસ્થાની ખામી દર્શાવે છે. તેમણે ભાર મૂક્યો કે કોઈપણ આંદોલનની પાછળ રહેલા મૂળ કારણો સમજવા જરૂરી છે. મીડિયા નેરેટિવ નહીં, જવાબદારીનો મુદ્દો મહત્વનો કિરણ બેદીએ મીડિયા અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચા અંગે પણ સવાલો…

NEET પેપર લીક વિવાદ પર સરકારનો સ્પષ્ટ સંદેશ: ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું નહીં થાય

NEET પેપર લીક વિવાદને લઈને દેશભરમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે કેન્દ્ર સરકારે મોટો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ વચ્ચે સરકારના સૂત્રોએ જણાવ્યું છે કે ધર્મેન્દ્ર પ્રધાન પોતાના પદ પરથી રાજીનામું આપશે નહીં. સરકારનું માનવું છે કે માત્ર મંત્રી બદલવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે, પરંતુ પરીક્ષા વ્યવસ્થામાં રહેલી ખામીઓને દૂર કરવી વધુ જરૂરી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારનું ધ્યાન હાલમાં NEET સહિતની રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓને વધુ પારદર્શક, સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવાના પ્રયાસો પર છે. સૂત્રોએ જણાવ્યું કે જનતાએ સરકારને જવાબદારી સોંપી છે અને સરકાર આ જવાબદારી નિભાવતા પરીક્ષા પ્રણાલીમાં જરૂરી સુધારા કરશે. સાથે જ સરકાર અને શાસક પક્ષ બંને ધર્મેન્દ્ર પ્રધાનના સમર્થનમાં હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. રાજીનામું નહીં,…

પેપર લીક મામલે 26 જુલાઈએ મુંબઈમાં રસ્તા પર ઉતરશે ઠાકરે બંધુઓ

મહારાષ્ટ્રમાં પેપર લીકના મુદ્દે વિદ્યાર્થી આંદોલન વચ્ચે હવે રાજકીય ગરમાવો વધી ગયો છે. શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ 26 જુલાઈએ મુંબઈમાં સંયુક્ત મોરચો કાઢવાની જાહેરાત કરી છે. બંને નેતાઓએ જણાવ્યું છે કે આ મોરચો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના રોષને સરકાર સુધી પહોંચાડવા માટે યોજવામાં આવશે. મુંબઈમાં યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં ઠાકરે બંધુઓએ પેપર લીક અને પરીક્ષા વ્યવસ્થાને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે અને સરકારને આ મુદ્દે જવાબદારી લેવી જોઈએ. ઠાકરે બંધુઓની સંયુક્ત જાહેરાત ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ પોતાના અધિકારો માટે લડી રહ્યા છે અને સરકાર તેમની સમસ્યાઓને ગંભીરતાથી લેતી નથી. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ…

સોનમ વાંગચુકે ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી, કેન્દ્ર સરકારને લખ્યો પત્ર

સરકારને સોનમ વાંગચુકની વિદ્યાર્થીઓની માંગણીઓ પર તાત્કાલિક નિર્ણય લેવા અપીલ વિદ્યાર્થી આંદોલન અને તેના અનુસંધાનમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તેમણે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહ અને કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી. નડ્ડાને પત્ર લખીને વિદ્યાર્થીઓની વિવિધ માંગણીઓ પર તાત્કાલિક અને સંવેદનશીલ નિર્ણય લેવા અપીલ કરી છે. સોનમ વાંગચુકે પોતાના પત્રમાં જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના પ્રશ્નો અને તેમની ચિંતાઓને ગંભીરતાથી લેવામાં આવે તે જરૂરી છે. તેમણે સરકારને અપીલ કરી છે કે સમગ્ર મામલે સંવાદ અને વિશ્વાસના આધારે ઉકેલ લાવવામાં આવે. સોનમ વાંગચુકે સરકાર સમક્ષ ભૂખ હડતાળ સમાપ્ત કરવાની શરત મૂકી સોનમ વાંગચુકે પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે જો સરકાર વિદ્યાર્થીઓની માંગણીઓ અંગે લેખિત ખાતરી આપે અને તેના પર સકારાત્મક પગલાં ભરવાની તૈયારી દર્શાવે…

દિલ્હીમાં ફરી હિંસક દેખાવો, જંતર-મંતર પાસે પથ્થરમારામાં અનેક પોલીસ કર્મી ઘાયલ

દિલ્હી NEET મુદ્દે ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન તણાવભરી સ્થિતિ દિલ્હીમાં ફરી એકવાર વિરોધ પ્રદર્શન દરમિયાન તણાવની સ્થિતિ સર્જાઈ છે. NEET પરીક્ષાના મુદ્દે ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન ટૉલ્સ્ટૉય માર્ગ અને જંતર-મંતર નજીક અચાનક હિંસા ફાટી નીકળ્યાનો પોલીસનો દાવો છે. મળતી માહિતી અનુસાર, પ્રદર્શન દરમિયાન કેટલાક લોકો ઉગ્ર બન્યા હતા અને સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીઓ તથા રેપિડ એક્શન ફોર્સ (RAF)ના જવાનો પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં કેટલાક પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. પોલીસ અને RAF જવાનો પર પથ્થરો અને લાકડીઓથી હુમલાનો આરોપ પોલીસના જણાવ્યા મુજબ, ટૉલ્સ્ટૉય માર્ગ પર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે દિલ્હી પોલીસ અને RAFની ટીમો તૈનાત કરવામાં આવી હતી. પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું હતું, પરંતુ અચાનક કેટલાક પ્રદર્શનકારીઓ ઉગ્ર બન્યા…

સ્કૂલના વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકને બદલે ઝાડુ-પોતા ! | GUJARATI NEWS BULLETIN

સ્કૂલના વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકને બદલે ઝાડુ-પોતા સુરત: સરકારી શાળામાં બાળકો પાસે કાળી મજૂરી કરાવવાનો આક્ષેપ ભર તડકામાં શાળાની સાફસફાઈ કરાવતો વીડિયો વાયરલ ગ્રિલ અને પટાંગણની સફાઈ કરતા બાળકોનો વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાસ્પદ શિક્ષકોની હાજરીમાં જ બાળકો પાસે સફાઈ શાળાના આચાર્યએ ભૂલ સ્વીકારી “આગળથી આવું નહીં થાય” સ્વચ્છતા જનજાગૃતિ માટેનો ઉદ્દેશ્ય હોવાનું સ્પષ્ટીકરણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ મામલો ગંભીરતાથી લીધો સમિતિ અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાનું નિવેદન, “આ બાબત યોગ્ય નથી” સર્વ શિક્ષા અભિયાન હેઠળ સફાઈ માટે ગ્રાન્ટ ઉપલબ્ધ વધારાની ગ્રાન્ટ પણ આપવામાં આવી રહી હોવાનો ઉલ્લેખ સ્થળ તપાસ માટે નિરીક્ષકોની ટીમ મોકલાશે રિપોર્ટ બાદ જવાબદાર સામે કાર્યવાહી થશે તમામ શાળાઓને પરિપત્ર બહાર પાડવામાં આવશે આણંદ: નાપાડ તળપદના ભગવાન નગર આંગણવાડી કેન્દ્રમાં બેદરકારીના આક્ષેપ નાના ભુલકાઓ પાસેથી કચરો વાળાવવાનો…

વાલી અને વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, ખાનગી ટ્યુશન ક્લાસીસ પર સરકારે કસ્યો શંકોજો

ગુજરાત રાજ્ય સરકારે ખાનગી ટ્યુશન ક્લાસીસ પર નિયંત્રણ માટે મોટું પગલું ભર્યું છે. શિક્ષણ મંત્રી પ્રફુલ પાંશેરીયાએ જાહેર કર્યું છે કે ટ્યુશન ક્લાસીસના સંચાલનમાં સુધારવા અને પારદર્શિતા લાવવા માટે કાયદાકીય માળખું તૈયાર કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે 8 સભ્યોની વિશેષ કમિટી નિમેલી છે. શિક્ષણ મંત્રીએ શું કહ્યું? શિક્ષણ મંત્રી પ્રફુલ પાંશેરીયાએ કહ્યું,“ટ્યુશન ક્લાસીસ પર નિયમન જરૂરી બની ગયું છે. વાલીઓ અને વિદ્યાર્થીઓને લૂંટતા રોકવા માટે સરકાર કડક કાયદો લાવશે. કમિટી ટૂંક સમયમાં પોતાનું કાર્ય શરૂ કરશે અને સરકારને અહેવાલ આપશે.” નોટિફિકેશન પણ થયું જાહેર શિક્ષણ વિભાગ દ્વારા આ સંદર્ભમાં અધિકૃત નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ કાયદો વાલી અને વિદ્યાર્થીઓ બંને માટે રાહતભર્યો અને જરૂરી પગલું માનવામાં આવી રહ્યો છે. શા માટે જરૂર પડી? છેલ્લા…