હવામાન વિભાગનું એલર્ટ: 26થી 31 ઓગસ્ટ દરમિયાન અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
દેશના અનેક વિસ્તારોમાં ચોમાસું ફરી સક્રિય બન્યું છે. ઝારખંડ અને આસપાસના વિસ્તારમાં બનેલા લો-પ્રેશર એરિયાની અસરને કારણે આગામી દિવસોમાં ઉત્તર, પૂર્વ અને મધ્ય ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના 25 ઓગસ્ટના બુલેટિન મુજબ લો-પ્રેશર વિસ્તાર આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે. તેની અસરથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ગાજવીજ અને તેજ પવનની સ્થિતિ બની શકે છે. હવામાન વિભાગે ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને પૂર્વોત્તર ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદને લઈને ચેતવણી આપી છે. બીજી તરફ, ગુજરાત સહિત પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. ઝારખંડના લો-પ્રેશરની અસર IMDના જણાવ્યા અનુસાર 25 ઓગસ્ટે ઝારખંડ અને આસપાસનો લો-પ્રેશર વિસ્તાર…
મોન્થાનો ચક્રવાતનો મહાખતરો: આંધ્રપ્રદેશના કિનારે તોળાઈ રહ્યું સંકટ, 4 રાજ્યોમાંથી 50 હજાર લોકોનું સ્થળાંતર
બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાતી વાવાઝોડું ‘મોન્થા’ વધુ તીવ્ર બનીને દક્ષિણ ભારત તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું દરિયાકાંઠાના વિસ્તારોમાં ગંભીર ખતરો ઉભો કરી રહ્યું છે અને વિશેષતઃ આંધ્રપ્રદેશના કિનારે ભારે નુકસાનનો અંદેશો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, વાવાઝોડું હાલમાં આંધ્રપ્રદેશના દરિયાકિનારેથી માત્ર 50 કિલોમીટર દૂર છે અને પવનની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનારા 24 કલાકમાં કાકીનાડા અને મછલીપટ્ટનમ વચ્ચે આંધ્રપ્રદેશના કિનારેથી વાવાઝોડું પસાર થવાની સંભાવના છે, જેમાં પવનની મહત્તમ ગતિ 110 કિમી/કં સુધી પહોંચી શકે છે. 4 રાજ્યોમાં હાઈ એલર્ટ આ ગંભીર પરિસ્થિતિને પગલે આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ સરકારોએ હાઈ એલર્ટ જાહેર કર્યું છે. નિકાસ અને સલામતી માટે રાજ્ય સરકારોએ 50,000 થી વધુ લોકોને…








