ST વિભાગના ભાડામાં 3 ટકાનો વધારો, આજ મધરાતથી નવા ભાવ અમલમાં

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા એસટી બસના ભાડામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ નવા ભાડા આજ મધરાતથી એટલે કે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. નવા વર્ષની શરૂઆત સાથે જ રાજ્યના મુસાફરોને મોંઘવારીની ભેટ મળી છે. આ વધારાથી રાજ્યના અંદાજે 27 લાખ દૈનિક મુસાફરો પર વધારાનો બોજ પડશે. GSRTC દ્વારા જણાવવામાં આવ્યું છે કે મુસાફરોને વધુ સારી અને ગુણવત્તાયુક્ત સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે આ નિર્ણય લેવાયો છે. નોંધનીય છે કે છેલ્લા 9 મહિનામાં ભાડામાં બીજી વખત વધારો કરવામાં આવ્યો છે. કેટલું ભાડું વધ્યું? – લોકલ બસમાં 9 કિમી સુધી કોઈ ભાડા વધારો નહીં – 10 થી 60 કિમીના અંતરે મુસાફરી માટે રૂ. 1નો વધારો – સરેરાશ ભાડામાં 3 ટકાનો વધારો લાગુ અગાઉ…

ભાવનગર–વેરાવળ એસ.ટી. બસમાં વિદેશી દારૂ ઝડપાયો, લાઇન ચેકિંગ ટીમની કાર્યવાહી પ્રશંસનીય

ગીર સોમનાથ જિલ્લાના ભાવનગર–વેરાવળ રૂટ પર દોડતી એક એસ.ટી. બસમાં વિદેશી દારૂ ઝડપાતા હાઇએલર્ટ લાગ્યું છે. આ મામલો GSRTCની લાઇન ચેકિંગ ટીમ દ્વારા વેરાવળ નજીક નમસ્તે સર્કલ પર નિયમિત ટિકિટ ચેકિંગ દરમિયાન સામે આવ્યો. અકસ્માત અને તપાસ ભાવો ગરણી વિગતો પ્રમાણે, GJ-18 ZT 0439 નંબરની એક્સપ્રેસ એસ.ટી. બસમાં ચેકિંગ દરમ્યાન એક થેલો મળી આવ્યો હતો. થેલામાં વિદેશી દારૂનો જથ્થો મળ્યો. પ્રાથમિક તપાસમાં આ દારૂ બિનવારસી હોવાનું જાહેર થયું છે. પોલીસની કાર્યવાહી GSRTC લાઇન ચેકિંગ ટીમે તરત જ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. બાદમાં ઝડપાયેલ દારૂ વધુ તપાસ માટે પ્રભાસ પાટણ પોલીસને હવાલે કરવામાં આવ્યો છે. આ ઘટના અંગે એસ.ટી. ડ્રાઈવર ઘેલાભાઈ મૂલુભાઈ વાધ દ્વારા પોલીસ મથકે અધિકારીક ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. મહત્વ આ ઘટનાઓ લાઇન…

પંચમહાલમાં એસટી બસ-ડમ્પર વચ્ચે અકસ્માત, 19 મુસાફરો ઈજાગ્રસ્ત થયાં

પંચમહાલમાં એસટી બસ-ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પંચમહાલના ગોધરા-દાહોદ હાઈવે પર પરવડી પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં 19 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. બસે ડમ્પરને પાછળથી ટક્કર મારતા આ ઘટના બની હતી. તો ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા હતા અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વની વાત છે કે,બસે ડમ્પરને પાછળથી ટક્કર મારતા અકસ્માત થયો હતો. તમામ ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડયા છે. પાંચથી વધારે મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. તો હાલ તમામ મુસાફરો સારવાર હેઠળ છે. પોલીસે તમામના નિવેદનો લીધા છે અને ડ્રાઈવરની પણ પૂછપરછ પણ કરી છે. આ પણ વાંચો :- અમરેલીમાં શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો, નરાધમ શિક્ષકે 2 વિદ્યાર્થિની સાથે…