ભારત-પાકિસ્તાન: રાજદ્વારી તણાવ ચરમસીમાએ, હવે પાક.એ રાજદ્વારીઓને “પર્સોના નોન ગ્રેટા” જાહેર કર્યો
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવમાં વધુ એક કડકો વળાંક આવ્યો છે. જાસૂસીમાં સંડોવણીના આરોપોને આધારે, બંને દેશોએ એકબીજાના રાજદ્વારીઓને “પર્સોના નોન ગ્રેટા” જાહેર કરી, તેમને 24 કલાકની અંદર દેશ છોડવાનો આદેશ આપ્યો છે. આ રાજદ્વારી નિર્ણયથી બંને દેશોની રાજકીય વાતચીતમાં તીવ્ર તણાવ જોવા મળી રહ્યો છે. ઘટનાઓની શરુઆત ભારત તરફથી થઈ હતી, જ્યારે નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનમાં કાર્યરત એક અધિકારીને ભારત સરકાર દ્વારા “પર્સોના નોન ગ્રેટા” જાહેર કરવામાં આવ્યા. વિદેશ મંત્રાલયે આ અંગે જણાવ્યું કે તે અધિકારી ભારતમાં તેમના સત્તાવાર પદ સાથે સુસંગત પ્રવૃત્તિઓ કરતા નહોતા અને કથિત રીતે જાસૂસી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા. વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના ચાર્જ ડી’અફેર્સને તાત્કાલિક બોલાવીને આ નિર્ણયની જાણ કરી અને સંબંધિત અધિકારીને 24 કલાકની અંદર દેશ છોડવા આદેશ કર્યો.…







