ND vs NZ ફાઇનલ માટે રેલવેની તૈયારી, મુંબઈ-અમદાવાદ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો

અમદાવાદમાં યોજાનારી ટી20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વેએ ક્રિકેટ ચાહકો માટે ખાસ વ્યવસ્થા કરી છે. ફાઇનલ જોવા માટે દેશભરથી મોટી સંખ્યામાં ચાહકો અમદાવાદ પહોંચવાના હોવાથી પશ્ચિમ રેલ્વેએ મુંબઈ અને અમદાવાદ વચ્ચે ખાસ સુપરફાસ્ટ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. ભારતમાં હાલમાં ક્રિકેટનો જબરદસ્ત માહોલ જોવા મળી રહ્યો છે. 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી સેમિફાઇનલ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 7 રનથી હરાવીને ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે. હવે 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ રમાશે. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ગણાતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લગભગ 1 લાખ દર્શકો એકસાથે મેચનો આનંદ લઈ શકે છે. ફાઇનલ મેચને ધ્યાનમાં રાખીને દેશભર તેમજ વિદેશમાંથી હજારો ચાહકો અમદાવાદ આવવાના હોવાથી રેલ્વેએ મુસાફરોને વધારાની સુવિધા…

પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી-દિલ્હી વચ્ચે વિશેષ સ્પેશ્યલ ટ્રેન, હવાઈ મુસાફરોને રાહત

અમદાવાદ-દિલ્હી કોરિડોર પર તાજેતરમાં ઇન્ડિગો એરલાઇન્સની અનેક ફ્લાઇટ્સ રદ્દ થવાથી હવાઈ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ફ્લાઇટ્સ રદ્દ થવાના કારણે મોટી સંખ્યામાં મુસાફરોને તેમના ગંતવ્ય પર પહોંચવા માટે વિકલ્પ રૂપ પરિવહન સાધનની તાત્કાલિક જરૂરિયાત અનુભવી હતી. મુસાફરોની વધતી માંગ અને મુશ્કેલીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેે અમદાવાદ સાબરમતી સ્ટેશન અને દિલ્હી જંક્શન વચ્ચે ‘ઓન ડિમાન્ડ (TOD) સ્પેશ્યલ ટ્રેન’ ચલાવવાની જાહેરાત કરી છે. આ સ્પેશ્યલ ટ્રેનનો મુખ્ય હેતુ એ છે કે ફ્લાઇટ રદ્દ થવાની સ્થિતિમાં મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે અને તેમને વિશ્વસનીય, સુરક્ષિત અને સમયસર મુસાફરી સુવિધા મળી શકે. વિશેષ ટ્રેનનું સંચાલન મુસાફરોની વાસ્તવિક માંગને આધારે કરવામાં આવશે, જે રેલવેની મુસાફરો પ્રત્યે સંવેદનશીલતાને દર્શાવે છે. આ પહેલ તહેવારો અને રજાકાળ દરમિયાન, જ્યારે મુસાફરીની માંગ ટોચ…