રાહુલ ગાંધીએ ખાસ સત્ર બોલાવવાની કરી માંગ, PM મોદીને લખ્યો પત્ર
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને સમાપ્ત કરવા માટે, 10 મેની સાંજે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. આ પછી પણ પાકિસ્તાન દ્વારા સરહદને અડીને આવેલા ઘણા વિસ્તારોમાં ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન, વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે સંસદનું ખાસ સત્ર બોલાવવાની માંગ કરી છે. રાહુલ ગાંધીએ સંસદનું ખાસ સત્ર બોલાવવા અંગે વિપક્ષ વતી પીએમ મોદીને પત્ર લખ્યો છે. તેમણે લખ્યું છે કે ભારતના માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી, હું વિપક્ષની સર્વસંમતિથી કરેલી વિનંતીને પુનરાવર્તિત કરું છું કે સંસદનું ખાસ સત્ર તાત્કાલિક બોલાવવામાં આવે. રાહુલે વધુમાં લખ્યું છે કે લોકો અને તેમના પ્રતિનિધિઓ માટે પહેલગામ આતંકવાદી હુમલા, ઓપરેશન સિંદૂર અને આજના યુદ્ધવિરામ અંગે ચર્ચા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે,…







