અખિલેશ પહોંચ્યા પ્રયાગરાજ, ગંગામાં લગાવી ડૂબકી, કહ્યું અહીં વૃદ્ધો માટે ખાસ વ્યવસ્થા હોવી જરૂરી
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ મહાકુંભમાં ડૂબકી મારવા માટે પ્રયાગરાજ પહોંચ્યા હતા. આ અવસર પર મહાકુંભમાં સ્નાન કર્યા બાદ અખિલેશ યાદવે કહ્યું કે બધા લોકો આમંત્રણ વિના કુંભમાં આવે છે. લોકો અહીં પોતાની અંગત માન્યતાઓ સાથે આવે છે. પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું કે મેં સંગમમાં 11 વખત ડૂબકી લગાવી છે. . ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, વિભાજનકારી અને નકારાત્મક રાજનીતિ માટે કોઈ સ્થાન નથી. જે દિવસે મેં હરિદ્વારમાં ડૂબકી લગાવી તે એક ઉત્સવ હતો. આજે મને અહીં પવિત્ર સ્નાન કરવાનો અવસર મળ્યો. -> ‘વૃદ્ધો માટે ખાસ વ્યવસ્થા કરવી જોઈએ’ :- સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે સરકારમાં બેઠેલા લોકોએ આ ઈવેન્ટને સ્પોર્ટ્સ ઈવેન્ટ ન બનાવવી જોઈએ. તેમણે કહ્યું કે મેં જોયું છે કે…







