વિનાશક ‘દિત્વાહ’ ચક્રવાત ભારત તરફ આગળ: શ્રીલંકામાં 123ના મોત, દક્ષિણ ભારતમાં ‘રેડ એલર્ટ’
દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી અને ઉત્તર શ્રીલંકા પર સક્રિય બનેલું ચક્રવાત ‘દિત્વાહ’ (Ditwah) હવે ભારત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. શ્રીલંકામાં આ વાવાઝોડાએ ભારે વિનાશ સર્જ્યો છે. અત્યાર સુધી પૂર અને ભૂસ્ખલનના કારણે 123 લોકોનાં મોત નિપજ્યાં છે અને 130થી વધુ લોકો હજુ ગુમ છે. લગભગ 44,000 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ભારત તરફ આગળ વધતું ચક્રવાત IMD અનુસાર ચક્રવાત દિત્વાહ છેલ્લા છ કલાક દરમિયાન ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજે સવારે 8:30 વાગ્યે તે શ્રીલંકાથી 80 કિમી પૂર્વ, તથા ચેન્નાઈથી 380 કિમી દક્ષિણ દિશામાં કેન્દ્રિત હતું. દક્ષિણ ભારત માટે ભારે–અતિભારે વરસાદની ચેતવણી IMDએ દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં 29 નવેમ્બરથી 1 ડિસેમ્બર દરમિયાન ભારે અને અતિભારે વરસાદની આગાહી કરી છે। તમિલનાડુ અને પુડુચેરી 29–30…
IMD દ્વારા કેરળ, તમિલનાડુ અને પુડુચેરી માટે ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જાહેર, જાણો વિગત
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા દક્ષિણ ભારતના કેટલાંક વિસ્તારો માટે આગામી બે દિવસ માટે ભારે વરસાદની ચેતવણી સાથે ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યો છે. આ ચેતવણી ખાસ કરીને કેરળ, માહે, તમિલનાડુ, પુડુચેરી અને કરાઇકલ માટે આપવામાં આવી છે. ભારે વરસાદની આગાહી IMDના જણાવ્યા અનુસાર, આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. વરસાદ સાથે વીજળીના કડાકા અને તીવ્ર પવન (Gusty Winds) પણ ચાલી શકે છે, જેના કારણે જનજીવન અસરગ્રસ્ત થઈ શકે છે. બીજા રાજ્યો માટે પણ યેલો અને ઓરેન્જ એલર્ટ – આંધ્રપ્રદેશ, દક્ષિણ કર્ણાટક અને કોસ્ટલ કર્ણાટકમાં પણ ભારે વરસાદની શક્યતા – લક્ષદ્વીપ, અંદમાન-નિકોબાર ટાપુઓ, ઓડિશા અને તેલંગણામાં વીજળી સાથે પવન અને ઝાપટાની આગાહી – કેટલાક વિસ્તારોમાં ફ્લેશ ફ્લડ અથવા પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે…








