‘સ્વસ્થ ધરા, ખેત હરા’: ગુજરાતના 2.19 કરોડ ખેડૂતોને મળ્યા સોઇલ હેલ્થ કાર્ડ
ગુજરાતના સર્વાંગી વિકાસમાં કૃષિ વિકાસ એક મહત્વપૂર્ણ પાયો છે. રાજ્યનો સર્વાંગી કૃષિ વિકાસ ગુજરાત સરકારની પ્રાથમિકતા રહી છે. જો ખેતીયોગ્ય જમીનની યોગ્ય રીતે જાળવણી ન થાય, તો તે ઉજ્જડ બનતી જાય છે. જમીન ઉજ્જડ થવાના અનેક કારણો હોઈ શકે છે, જેમ કે પ્રદૂષણ, જમીનમાં વધતી ખારાશ અને રસાયણિક ખાતર તથા દવાઓનો અતિશય ઉપયોગ. ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ આ સમસ્યા ઉદભવી રહી હતી. આ સમસ્યાના સમાધાન માટે એક નવતર અભિગમના ભાગરૂપે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003-04માં ‘સોઈલ હેલ્થ કાર્ડ યોજના’ અમલમાં મૂકી હતી. જમીન તંદુરસ્તીની અગત્યતાને પારખીને આ પ્રકારની અનોખી યોજના અમલમાં મૂકવા વાળું ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય બન્યું હતું. પ્રધાનમંત્રીની દૂરંદેશી પહેલને આગળ ધપાવી અને વિકસિત ભારતના વિઝનને વિકસિત ગુજરાત દ્વારા…







