અમિત શાહ ઓપરેશન સિંદુર બાદ આવશે ગુજરાત પ્રવાસે: જાણો બે દિવસના કાર્યક્રમની વિગત
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ ઓપરેશન સિંદુરની સફળતા બાદ પહેલીવાર ગુજરાતના બે દિવસી પ્રવાસે આવી રહ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન તેઓ સહકાર ક્ષેત્રના મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપશે અને મહિલાઓના આર્થિક સશક્તિકરણથી લઈને આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રના વિકાસકરતાં કાર્યક્રમોમાં ભાગ લેશે. પ્રથમ દિવસ – 6 જુલાઈ 2025 – 102મા આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી સ્થળ: મહાત્મા મંદિર, ગાંધીનગર સમયે: સવારે 10:00 કલાકે કાર્યક્રમમાં દેશભરના સહકારી સંગઠનોના પ્રતિનિધિઓ હાજર રહેશે. – દૂધ ઉત્પાદક મહિલાઓ સાથે બેઠક – બનાસકાંઠા સ્થળ: ચાંગડા ગામ સમયે: બપોરે 2:00 કલાકે શૂન્ય ટકાવારી વ્યાજના RuPay કાર્ડનું વિતરણ કરવામાં આવશે. સહકારી પાયલોટ પ્રોજેક્ટની મુલાકાત પણ થશે. – પંચામૃત ડેરી મુલાકાત અને બેઠક – ગોધરા સ્થળ: મહુલિયા ગામ સમયે: સાંજે 5:00 કલાકે રાજ્યની જિલ્લા…







