પાકિસ્તાનમાં ફરી રાજકીય સંકટના સંકેત? મોહસીન નકવીના નિવેદનોથી વધ્યો સત્તા પરિવર્તનનો ચર્ચા

પાકિસ્તાનમાં ફરી એકવાર રાજકીય હલચલ તેજ બની છે. ગૃહમંત્રી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નકવીના તાજેતરના નિવેદનો બાદ દેશમાં સત્તા પરિવર્તન અને રાજકીય સમીકરણોને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. નકવીએ દેશની વહીવટી વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠાવતા ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. નકવીના આ નિવેદનો બાદ પાકિસ્તાનના રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે કે શું આ માત્ર ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનનો ભાગ છે કે પછી દેશની સત્તા વ્યવસ્થામાં કોઈ મોટા ફેરફારની તૈયારી ચાલી રહી છે. પાકિસ્તાનમાં નકવીએ સરકાર અને સિસ્ટમ પર ઉઠાવ્યા સવાલ પાકિસ્તાન આર્થિક સમિટ દરમિયાન ગૃહમંત્રી મોહસીન નકવીએ દેશની હાલની વહીવટી વ્યવસ્થા અંગે આકરી ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનની જૂની શાસન પદ્ધતિમાં અનેક ખામીઓ છે અને તેને…

ઓપરેશન સિંદૂર પર પાકિસ્તાનની કબૂલાત….. શાહબાઝ શરીફે પોતે જ જણાવ્યું કે ભારતના હુમલાથી ક્યાં થયું નુકસાન

પાકિસ્તાને ‘ઓપરેશન સિંદૂર’ની સફળતાનો સ્વીકાર કર્યો છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે સ્વીકાર્યું છે કે ભારતના જવાબી હુમલામાં તેમના ઘણા એરબેઝ, ખાસ કરીને નૂરખાન એરબેઝ, નાશ પામ્યા છે. પાકિસ્તાનની આ કબૂલાત હવે દુનિયા સામે છે. શાહબાઝ શરીફનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં, તેઓ કહે છે, ‘9 અને 10 તારીખની રાત્રે લગભગ 2:30 વાગ્યે, જનરલ અસીમ મુનીરે મને ફોન પર કહ્યું કે વડા પ્રધાન સાહેબ, ભારતે હમણાં જ તેની બેલિસ્ટિક મિસાઇલો લોન્ચ કરી છે, જેમાંથી એક નૂરખાન એરબેઝ પર પડી છે અને કેટલીક અન્ય વિસ્તારોમાં પણ પડી છે… સૌથી મહત્વપૂર્ણ એરબેઝ નૂરખાન નૂર ખાન કોઈ સામાન્ય એરબેઝ નથી. આ પાકિસ્તાનના VVIP અને ઉચ્ચ સ્તરીય લશ્કરી ઉડ્ડયનનું કેન્દ્ર છે. ઇસ્લામાબાદની નજીક હોવાથી અને…

Operation Sindoorને લઈ રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

ઓપરેશન સિંદૂર પછી, સમગ્ર દેશમાં ઉત્સાહનું વાતાવરણ છે અને દરેક વ્યક્તિ ભારતીય સેનાની બહાદુરીની પ્રશંસા કરી રહી છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ સેનાની બહાદુરીની પ્રશંસા કરી અને કહ્યું કે અમને અમારા સુરક્ષા દળો પર ગર્વ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર પોસ્ટ કરીને લખ્યું, ‘અમને અમારા સુરક્ષા દળો પર ગર્વ છે. જય હિંદ! રાહુલ ગાંધી પહેલાં, કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ મલ્લિકાર્જુને કહ્યું હતું કે, પાકિસ્તાન અનેPoKથી ઉદ્ભવતા તમામ પ્રકારના આતંકવાદ સામે ભારતની એક મજબૂત રાષ્ટ્રીય નીતિ છે. Proud of our Armed Forces. Jai Hind! — Rahul Gandhi (@RahulGandhi) May 7, 2025 તેમણે પોસ્ટમાં આગળ લખ્યું, અમને અમારા ભારતીય સશસ્ત્ર દળો પર ખૂબ ગર્વ છે જેમણે પાકિસ્તાન અને Pokમાં આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો છે. અમે…

પાકિસ્તાને ફરી આપી પરમાણુ બોમ્બની ધમકી, જાણો શું કહ્યું

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેની સ્થિતિ સતત બગડી રહી છે. આ દરમિયાન પાકિસ્તાને ફરી એકવાર પરમાણુ હુમલાની ધમકી આપી છે. રશિયામાં પાકિસ્તાનના રાજદૂત મોહમ્મદ ખાલિદ જમાલીએ ધમકી આપી છે કે જો ભારત પાકિસ્તાન પર હુમલો કરશે અથવા તેની સિંધુ નદીનો પાણી પુરવઠો બંધ કરશે, તો પાકિસ્તાન માત્ર પરંપરાગત જ નહીં પરંતુ પરમાણુ શસ્ત્રોથી પણ જવાબ આપશે. રશિયન ટેલિવિઝન ચેનલ આરટી સાથે વાત કરતા, પાકિસ્તાની રાજદૂતે કહ્યું કે અમારી પાસે ભારતની લશ્કરી કાર્યવાહીની યોજનાઓ વિશે મજબૂત સંકેતો છે. ખાલિદ જમાલીએ દાવો કર્યો હતો કે કેટલાક લીક થયેલા દસ્તાવેજોમાં પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં હુમલો કરવાની યોજના છે. આનાથી આપણને એવું લાગે છે કે હુમલો નજીક છે અને ગમે ત્યારે થઈ શકે છે. સિંધુ જળ સંધિ…