અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે, શેલામાં ડ્રેનેજ પાઈપલાઈનનું કરશે લોકાર્પણ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 27 અને 28 ડિસેમ્બરે બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અમદાવાદમાં યોજાનારા વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. મળતી માહિતી મુજબ, 28 ડિસેમ્બરે અમિત શાહ અમદાવાદના શેલા વિસ્તારમાં મહત્વપૂર્ણ ડ્રેનેજ પાઈપલાઈનનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ સ્થાનિક રહીશોની લાંબા સમયથી ચાલી રહેલી માંગના અનુસંધાનમાં હાથ ધરવામાં આવ્યો હતો, જેને અંદાજે 600 કરોડ રૂપિયાના ખર્ચે ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી અગાઉ અમિત શાહે આપી હતી. આ પ્રસંગે સાબરમતી નદી વિસ્તારમાં વસતા રહીશોને પુનર્વસન અને સર્ટિફિકેશન પણ આપવામાં આવશે. આ સાથે ગૃહપ્રધાન પકવાન સર્કલ ખાતે તૈયાર થયેલા આઈકોનિક એસ.જી. હાઈવે પ્રોજેક્ટની પણ મુલાકાત લેશે. કાર્યક્રમોની સમયસૂચી અમિત શાહની ગુજરાત મુલાકાત દરમિયાન તેઓ – બપોરે 2 વાગ્યે ગુરુદ્વારા ગોવિંદધામના દર્શન કરશે – સાંજે 6…

અમદાવાદ: એસજી હાઈવે પર કર્ણાવતી ક્લબ સામેની 12 દુકાનો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ

શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બનતી જઈ રહી છે, ખાસ કરીને એસજી હાઈવે જેવા વ્યસ્ત વિસ્તારોમાં. આ સમસ્યાને દુર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે કર્ણાવતી ક્લબ સામે આવેલી 12 દુકાનોને સીલ કરી દેવાની કાર્યવાહી કરી છે. ટ્રાફિક સમસ્યા અને પાર્કિંગના અભાવને કારણે પગલાં એસજી હાઈવે પર આવેલી આ દુકાનો પાસે યોગ્ય પાર્કિંગની સુવિધા ન હોવાથી દુકાન પર આવતા ગ્રાહકો રસ્તા પર જ વાહન પાર્ક કરતા હતા. પરિણામે ટ્રાફિક જામ અને અકસ્માતના બનાવો વધતા AMCએ સખત કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો. રાત્રિના સમયે પણ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. દુકાનોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી AMCએ અગાઉથી આ દુકાનદારોને લેખિત અને મૌખિક રીતે પાર્કિંગની વ્યવસ્થા…