PoJKમાં પાકિસ્તાનની બર્બરતા પર ભારતનો કડક પ્રહાર, જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હોવાનું પુનરોચ્ચાર
પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર (PoJK)માં તાજેતરમાં સર્જાયેલી પરિસ્થિતિને લઈને ભારતે પાકિસ્તાન સામે કડક વાંધો નોંધાવ્યો છે. વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે PoJKમાં નિર્દોષ નાગરિકો સામે કરવામાં આવી રહેલી કાર્યવાહી લોકશાહી મૂલ્યો અને માનવ અધિકારોની ભાવનાના વિરુદ્ધ છે. ભારતે આ કાર્યવાહીનો સખત વિરોધ કરતાં ફરી એકવાર સ્પષ્ટ કર્યું કે સમગ્ર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે. PoJKમાં વિરોધ પ્રદર્શન અને દમન પર ચિંતા વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ-કાશ્મીરમાં લોકો મોંઘવારી, બેરોજગારી, વીજળી, ખાદ્યસામગ્રીની અછત અને અન્ય મૂળભૂત સુવિધાઓના પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પરંતુ લોકોની ફરિયાદો સાંભળવાના બદલે પાકિસ્તાની તંત્ર બળપ્રયોગ અને દમનની નીતિ અપનાવી રહ્યું છે. ભારતના જણાવ્યા અનુસાર, શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા નાગરિકો સામે…
ગુજરાત સરકાર નવું હેલિકોપ્ટર ખરીદશે: ખાસ કમિટીની રચના અને સુરક્ષા મજબૂત બનાવવાનો પ્રયાસ
ગુજરાત સરકાર રાજ્યની હવાઈ સેવાઓને વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવા માટે નવું હેલિકોપ્ટર ખરીદવાનો નિર્ણય કર્યો છે. હાલમાં રાજ્યમાં ઉપયોગમાં રહેલા હેલિકોપ્ટરમાં વારંવાર ટેક્નિકલ ખામીઓ આવતા સરકારી કામગીરી અને મહત્વપૂર્ણ પ્રવાસોમાં અડચણો સર્જાતી હતી. મહત્વનું છે કે રાજ્યની હાલની હેલિકોપ્ટરની ખરીદી વર્ષ 2007માં થઈ હતી અને લાંબા સમયથી ઉપયોગમાં હોવાને કારણે તેમાં સતત સમસ્યાઓ ઊભી થઈ રહી હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારએ નવું હેલિકોપ્ટર લેવા માટે નિર્ણય લીધો છે. નવા હેલિકોપ્ટરની ખરીદી માટે વિશેષ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી હેલિકોપ્ટરની જરૂરિયાત, તકનિકી ક્ષમતાઓ, સુરક્ષા માપદંડો અને ખર્ચ જેવા તમામ પાસાઓનું મૂલ્યાંકન કરશે. કમિટી દ્વારા આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ટેન્ડર પ્રક્રિયા શરૂ થશે. સરકારનો માનવું છે કે નવું અને આધુનિક હેલિકોપ્ટર રાજ્યના વહીવટ,…
ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેના માટે ₹79,000 કરોડના સંરક્ષણ ખરીદી પ્રસ્તાવને મળી મંજૂરી
રક્ષા મંત્રાલયે ગુરુવારે જાહેરાત કરી કે, ડિફેન્સ અક્વિઝિશન કાઉન્સિલ (DAC)એ ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાની ક્ષમતાઓ વધારવા માટે ₹79,000 કરોડના વિવિધ ખર્ચીય પ્રોજેક્ટોને મંજૂરી આપી છે. આ નિર્ણયથી ભારતીય સેનાના આધુનિકીકરણ અને આત્મનિર્ભર ભારત અભિયાનમાં મહત્વનો પગલાંનો ઉમેરો થશે. સેના માટે મહત્વના પ્રોજેક્ટ્સ – નાગ મિસાઇલ સિસ્ટમ (ટ્રેક્ડ) માર્ક-2 (NAMIS): દુશ્મનના લડાયક વાહનો, બંકરો અને કિલ્લાબંધીનો નાશ કરવા માટે સક્ષમ. – ગ્રાઉન્ડ બેઝ્ડ મોબાઇલ ELINT સિસ્ટમ (GBMES): ૨૪ કલાક દુશ્મનના ઇલેક્ટ્રોનિક સિગ્નલ્સ પર નજર રાખશે. – હાઇ મોબિલિટી વ્હીકલ્સ (HMVs): મટિરિયલ હેન્ડલિંગ ક્રેન સાથે લોજિસ્ટિકલ સપોર્ટ માટે. નૌકાદળ માટે મંજૂર પ્રોજેક્ટ્સ – લેન્ડિંગ પ્લેટફોર્મ ડોક્સ (LPDs) – 30mm નેવલ સરફેસ ગન – એડવાન્સ્ડ લાઇટવેઇટ ટોર્પિડોઝ (ALWTs) – ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ ઇન્ફ્રા-રેડ સર્ચ અને ટ્રેક સિસ્ટમ્સ – 76mm સુપર…
એ ગરીબ માણસનું જીવન…’, સૈફ અલી ખાને હુમલાખોર વિશે શું કહ્યું? કહ્યું- સુરક્ષા કેમ રાખવામાં ન આવી
16જાન્યુઆરીની તે રાત, જે સૈફ અલી ખાન અને તેના પરિવાર માટે દુઃસ્વપ્ન બની ગઈ. મધ્યરાત્રિએ, એક માણસ સૈફ અને કરીનાના ઘરમાં ચોરી કરવાના ઇરાદે ઘૂસ્યો અને પોતાના પરિવારની સુરક્ષા માટે, અભિનેતાએ ચોર સાથે લડાઈ કરી. ઝપાઝપી દરમિયાન સૈફ અલી ખાનના શરીર પર અનેક ઈજાઓ થઈ હતી. એટલું જ નહીં, અભિનેતાએ લીલાવતી હોસ્પિટલમાં સર્જરી પણ કરાવી. ચોર પોલીસ કસ્ટડીમાં છે અને સૈફ સ્વસ્થ થઈને ઘરે પાછો ફર્યો છે. હુમલા બાદ લોકો સૈફ માટે ચિંતિત છે, તો બીજી તરફ અભિનેતા હુમલાખોર માટે ચિંતિત છે. -> સૈફ અલી ખાને ચોરી પર વાત કરી :- હા, હુમલાખોર પર ગુસ્સે થવાને બદલે, સૈફ અલી ખાન તેના પર દયા અનુભવી રહ્યો છે. દિલ્હી ટાઈમ્સ સાથેની વાતચીતમાં, જ્વેલ થીફ અભિનેતાએ કહ્યું, “આનાથી મારું…
PM મોદી કુવૈતના બે દિવસના પ્રવાસે રવાના, કહ્યું આ મુલાકાતથી બન્ને દેશો વચ્ચેના સંબંધો મજબુત બનશે
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતના બે દિવસના પ્રવાસે રવાના થયા છે. પ્રધાનમંત્રીએ કુવૈતના શેખ મેશાલ અલ અહેમદ અલ જબર અલ સબાહના આમંત્રણ પર કુવૈતની મુલાકાત લીધી છે. છેલ્લા 43 વર્ષમાં કોઇ ભારતીય વડાપ્રધાન દ્વારા કરાયેલી કુવૈતની આ પ્રથમ મુલાકાત છે. કુવૈત જતા પહેલા સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું હતું કે ‘ભારત અને કુવૈત માત્ર વેપાર અને ઉર્જા ભાગીદારો નથી, પરંતુ પશ્ચિમ એશિયામાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતામાં પણ તેમના સમાન હિત છે. અમે કુવૈત સાથેના અમારા ઐતિહાસિક સંબંધોને ખૂબ મહત્વ આપીએ છીએ, જે પેઢીઓથી ચાલ્યા આવે છે. -> પીએમ મોદી કુવૈતના ટોચના નેતૃત્વને મળશે :- વડાપ્રધાને લખ્યું કે આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત થશે. વડાપ્રધાન કુવૈતના અમીર, ક્રાઉન પ્રિન્સ અને…
પાકિસ્તાન દ્વારા લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઇલ વિકસાવવા પર ભારતે આપ્યો આ જબરજસ્ત પ્રતિભાવ
પાકિસ્તાન દ્વારા લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલ વિકસાવવા પર અમેરિકાની કાર્યવાહી બાદ ભારતે પણ પ્રતિક્રિયા આપી છે. આને લઈને અમેરિકાએ પાકિસ્તાનની 4 કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં એરોસ્પેસ અને ડિફેન્સ એજન્સી, નેશનલ ડેવલપમેન્ટ કોમ્પ્લેક્સ પણ સામેલ છે. ત્રણેય કરાચીમાં છે, જ્યારે એનડીસી ઈસ્લામાબાદમાં છે. આ મુદ્દા પર, ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત તેની સુરક્ષાને અસર કરતી તમામ ઘટનાઓ પર ખૂબ નજીકથી નજર રાખે છે અને યોગ્ય પગલાં લે છે. -> તેની સુરક્ષાને ગંભીરતાથી લે છે – વિદેશ મંત્રાલય :- વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે અમે અમારી સુરક્ષાને ગંભીરતાથી લઈએ છીએ અને યોગ્ય પગલાં લઈએ છીએ. અમેરિકી પક્ષે કહ્યું કે પાકિસ્તાનના લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમને સમર્થન આપવાનો ઇનકાર કરવો એ વોશિંગ્ટનની જૂની નીતિ…












