AAPના નેતા મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની વધી મુશ્કેલી, ACBએ નોંધ્યો કેસ; જાણો શું છે મામલો
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના ભૂતપૂર્વ મંત્રી મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB) એ સરકારી શાળાઓમાં વર્ગખંડોના બાંધકામ સંબંધિત કથિત ભ્રષ્ટાચાર કૌભાંડ સાથે સંબંધિત કેસ નોંધ્યો છે. જેમાં અંદાજે 2000 કરોડનું કૌભાંડ થયું હોવાની ચર્ચાઓ છે. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના ભૂતપૂર્વ મંત્રી મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન સામે ACB એ કેસ નોંધ્યો છે. દિલ્હીમાં AAP સરકારના કાર્યકાળ દરમિયાન 12,748 વર્ગખંડો અને સંબંધિત ઇમારતોના બાંધકામ સાથે સંબંધિત આ કેસ છે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 17-A હેઠળ સક્ષમ અધિકારી પાસેથી જરૂરી મંજૂરી મેળવ્યા બાદ ACB એ કેસ નોંધ્યો. એજન્સીએ જણાવ્યું હતું કે સમગ્ર પ્રોજેક્ટમાં નોંધપાત્ર અનિયમિતતાઓ અને ખર્ચમાં વધારો જોવા મળ્યો હતો.…
ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજને માનહાનિ કેસમાં મોટી રાહત, કોર્ટે સત્યેન્દ્ર જૈનની અરજી ફગાવી
રાઉસ એવન્યુ કોર્ટે આજે ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજને માનહાનિ કેસમાં મોટી રાહત આપી છે. કોર્ટે આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન દ્વારા ભાજપના સાંસદ સામે દાખલ કરાયેલા ફોજદારી માનહાનિના કેસ પર સંજ્ઞાન લેવાનો ઇનકાર કરી દીધો, અને તેમની ફરીયાદ ફગાવી દીધી હતી.. સત્યેન્દ્ર જૈને આરોપ લગાવ્યો હતો કે ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજે એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમના વિરુદ્ધ બદનક્ષીભર્યા નિવેદનો આપ્યા -> બાંસુરી સ્વરાજે શું કહ્યું? :- આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈને દાવો કર્યો હતો કે બાંસુરી સ્વરાજે કહ્યું હતું કે તેમના પરિસરમાં EDની તપાસ દરમિયાન 3 કરોડ રૂપિયા રોકડા અને 1.8 કિલો વજનના 133 સોનાના સિક્કા મળી આવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે ભાજપના સાંસદે તેમને ભ્રષ્ટ અને છેતરપિંડી કરનાર કહીને બદનામ કર્યા છે.…








