દેશ માટે પ્રાણાર્પણ કરનાર શહીદ પારગી જયંતિભાઈ હકરાભાઈને સંતરામપુરમાં ભાવભીની અંતિમ વિદાય

દેશની રક્ષા કાજે પોતાના જીવનનું બલિદાન આપનાર સંતરામપુર તાલુકાના ખેડાપા ગામના વતની શહીદ પારગી જયંતિભાઈ હકરાભાઈને આજે સંતરામપુરમાં ભાવભીની અને ગૌરવસભર અંતિમ વિદાય આપવામાં આવી હતી. શહીદની યાત્રા આજે સંતરામપુર નગરમાં આવી પહોંચતાં સમગ્ર વિસ્તાર શોક સાથે ગૌરવની લાગણીથી ભાવવિભોર બન્યો હતો. શહીદના પાર્થિવ દેહને સંતરામપુર પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો, જ્યાં તેમની પત્નીને અંતિમ દર્શન કરાવવામાં આવ્યા હતા. આ સમયે 123 વિધાનસભાના ધારાસભ્ય કુબેર ડીડોર, સંતરામપુર નગરપાલિકા પ્રમુખ નીશાબેન મોદી, ઉપપ્રમુખ જીતેન્દ્રસિંહ ઝાલા, નગરપાલિકા સભ્યો તેમજ સંતરામપુર પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ શહીદને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. કાયદેસરની કાર્યવાહી પૂર્ણ થયા બાદ શહીદના પાર્થિવ દેહને સંપૂર્ણ માન-સન્માન સાથે તેમના માદરે વતન સંતરામપુર તાલુકાના ખેડાપા ગામ લઈ જવામાં આવ્યો હતો. ખેડાપા ગામમાં પરિવારજનો દ્વારા…

મહીસાગર ખાતે ઉલ્લાસ નવભારત સાક્ષરતા કાર્યક્રમ–2025નું આયોજન, અનેક અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

સલમાન મોરાવાલા, સંતરામપુર / મહીસાગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આયોજિત ઉલ્લાસ નવભારત સાક્ષરતા કાર્યક્રમ–2025 નો ભવ્ય શુભારંભ તા. 03 નવેમ્બર, 2025 (સોમવાર) ના રોજ સાંજે 5:00 થી 6:00 કલાકે મોટી સરસણની યુ. આર. પટેલ વિદ્યાલય ખાતે યોજાયો. કાર્યક્રમની અધ્યક્ષતા સંતરામપુર APMC ચેરમેન શાંતિલાલ એચ. પટેલ એ કરી. વિશિષ્ટ મહેમાનોમાં મોટી સરસણ ગામના સરપંચ સુખાભાઈ બામણીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ મતી હીરાબેન પટેલ, તથા જિલ્લા નોડલ અધિકારી ધર્મેન્દ્રકુમાર ભમાત સહિત અનેક અગ્રણી વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના ગીત તથા સ્વાગત નૃત્ય રજૂ કરી સૌનું મન મોહી લીધું. બાદમાં મહેમાનોનું સાલ-પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું. રાકેશભાઈ આર. પટેલ (શારદા વિદ્યાલય, કાળીબેલ) એ પ્રાસંગિક ઉદબોધન આપ્યું, જ્યારે નિરક્ષર નાગરિકોને…