મહાકુંભમાં સંગમનું પાણી સ્નાન માટે યોગ્ય ન હોવાનો કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો રિપોર્ટ NGTને સુપ્રત કરાયો

સોમવારે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અહેવાલ દ્વારા રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલને જાણ કરવામાં આવી હતી કે પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન વિવિધ સ્થળોએ ગંદા પાણીનું સ્તર સ્નાન માટે પ્રાથમિક પાણીની ગુણવત્તાને અનુરૂપ નથી. સીપીસીબી અનુસાર, ગંદા પાણીના દૂષણનું સૂચક ‘ફેકલ કોલિફોર્મ’ ની સ્વીકાર્ય મર્યાદા પ્રતિ ૧૦૦ મિલી ૨,૫૦૦ યુનિટ છે. પ્રયાગરાજ ખાતે ગંગા અને યમુના નદીઓમાં ગંદા પાણીના પ્રવાહને રોકવાના મુદ્દા પર NGTના અધ્યક્ષ ન્યાયાધીશ પ્રકાશ શ્રીવાસ્તવ, ન્યાયિક સભ્ય ન્યાયાધીશ સુધીર અગ્રવાલ અને નિષ્ણાત સભ્ય એ સેન્થિલ વેલની બેન્ચ સુનાવણી કરી રહી હતી. બેન્ચે જણાવ્યું હતું કે સીપીસીબીએ 3 ફેબ્રુઆરીના રોજ એક રિપોર્ટ દાખલ કર્યો હતો, જેમાં ચોક્કસ બિન-પાલન અથવા ઉલ્લંઘનો દર્શાવવામાં આવ્યા હતા.અહેવાલમાં જણાવાયું છે કે, ‘વિવિધ પ્રસંગોએ તમામ દેખરેખ સ્થળોએ ગંદા પાણી ‘ફેકલ કોલિફોર્મ’ ના સંદર્ભમાં નદીના…