#Narmada / FarmerPreotest : સાગબારા જંગલ જમીન ખેડાણ આદિવાસી ખેડૂતોનાં ધરણાનો આજે 11મો દિવસ

નર્મદાના સાગબારામાં જંગલ જમીન ખેડાણના હકને લઈને આદિવાસી ખેડૂતોનું આંદોલન 11મા દિવસે પણ યથાવત રહ્યું છે. 12 ગામોના ખેડૂતો પોતાના હકની માગ સાથે ધરણાં કરી રહ્યા છે. દરમિયાન સેરવાય વનઅધિકાર સમિતિના પ્રમુખ નરપટ વસાવા ખેડૂતોના સમર્થનમાં ધરણાં સ્થળે પહોંચ્યા હતા. તેમણે ખેડૂતોની માગણી યોગ્ય હોવાનું જણાવી વર્ષોથી જમીન ખેડતા ખેડૂતોના વનઅધિકારના પેન્ડિંગ ઠરાવોનો વહેલી તકે નિકાલ કરવાની માંગ કરી હતી.