પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી-દિલ્હી વચ્ચે વિશેષ સ્પેશ્યલ ટ્રેન, હવાઈ મુસાફરોને રાહત
અમદાવાદ-દિલ્હી કોરિડોર પર તાજેતરમાં ઇન્ડિગો એરલાઇન્સની અનેક ફ્લાઇટ્સ રદ્દ થવાથી હવાઈ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ફ્લાઇટ્સ રદ્દ થવાના કારણે મોટી સંખ્યામાં મુસાફરોને તેમના ગંતવ્ય પર પહોંચવા માટે વિકલ્પ રૂપ પરિવહન સાધનની તાત્કાલિક જરૂરિયાત અનુભવી હતી. મુસાફરોની વધતી માંગ અને મુશ્કેલીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેે અમદાવાદ સાબરમતી સ્ટેશન અને દિલ્હી જંક્શન વચ્ચે ‘ઓન ડિમાન્ડ (TOD) સ્પેશ્યલ ટ્રેન’ ચલાવવાની જાહેરાત કરી છે. આ સ્પેશ્યલ ટ્રેનનો મુખ્ય હેતુ એ છે કે ફ્લાઇટ રદ્દ થવાની સ્થિતિમાં મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે અને તેમને વિશ્વસનીય, સુરક્ષિત અને સમયસર મુસાફરી સુવિધા મળી શકે. વિશેષ ટ્રેનનું સંચાલન મુસાફરોની વાસ્તવિક માંગને આધારે કરવામાં આવશે, જે રેલવેની મુસાફરો પ્રત્યે સંવેદનશીલતાને દર્શાવે છે. આ પહેલ તહેવારો અને રજાકાળ દરમિયાન, જ્યારે મુસાફરીની માંગ ટોચ…







