બાલવાટિકા સર્ટિફિકેટ વગર ધોરણ-1 માં પ્રવેશ: સરકારનો મોટો નિર્ણય, RTE હેઠળ કડક કાર્યવાહી Big Decision

શાળાઓ માટે રાજ્ય સરકારની કડક સૂચના: બાલવાટિકા સર્ટિફિકેટ વગર પણ આપવો પડશે પ્રવેશ, નિયમ ભંગ કરનાર સામે RTE હેઠળ કાર્યવાહી ગુજરાત સરકાર દ્વારા તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે બાલવાટિકા સર્ટિફિકેટના અભાવે કોઈપણ બાળકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં. નિયમનો ભંગ કરનાર શાળાઓ સામે RTE એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ: રાજ્યમાં નવા શૈક્ષણિક સત્ર દરમિયાન પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે વાલીઓ માટે એક મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓને કડક સૂચના આપી છે કે બાલવાટિકા (Balvatika)નું સર્ટિફિકેટ ન હોવાના કારણે કોઈપણ બાળકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં. જો કોઈ શાળા આ પ્રકારનું સર્ટિફિકેટ ફરજિયાત ગણાવી પ્રવેશ નકારી કાઢશે…