PM મોદીનો સોમનાથમાં ભવ્ય રોડ શો, ઓમકાર મંત્ર જાપમાં બન્યા સહભાગી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ પર છે. આ પ્રવાસના ભાગરૂપે તેઓ હેલીકોપ્ટર મારફતે રાજકોટથી સોમનાથ પહોંચ્યા. સોમનાથ હેલિપેડ પર ભાજપના આગેવાનો અને પદાધિકારીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ પ્રધાનમંત્રી સોમનાથના VVIP ગેસ્ટ હાઉસમાં રોકાશે. સોમનાથમાં પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. આજે સાંજે 8 વાગ્યે તેઓ મંદિર પરિસરમાં આયોજિત ઓમકાર મંત્રજાપમાં સહભાગી બનશે. રાત્રે યોજાનાર ભવ્ય ડ્રોન-શો પણ તેઓ નિહાળશે, જે શ્રદ્ધા અને આધુનિક ટેકનોલોજીનું અનોખું સંયોજન રજૂ કરશે. પ્રધાનમંત્રી માટે સોમનાથમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જનસમૂહે ઉત્સાહભેર તેમનું સ્વાગત કર્યું. સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા પણ પ્રધાનમંત્રી કરશે, જેમાં મંદિરના વિકાસ અને ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા થશે. આવતીકાલે વહેલી સવારે પ્રધાનમંત્રી સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરશે.…

PM મોદી સોમનાથ મુલાકાત: યાત્રા અને રોડ-શો સાથે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 10 અને 11 જાન્યુઆરીનાં રોજ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવનાર છે. 2 દિવસીય પ્રવાસને લઈ ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતના પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મંદિર ખાતે 8 થી 11 જાન્યુઆરી દરમ્યાન સોમનાથ સ્વાભિમાન પર્વની પણ ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં 108 અશ્વો વચ્ચે વડાપ્રધાન મોદીની સ્વાભિમાન યાત્રા યોજાશે. તેમજ 2 કિમી લાંબા ભવ્ય રોડ-શો નું પણ આયોજન કરવામાં આવ્યું છે. ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા પછી સોમનાથ મંદિરના શંખ સર્કલથી સદભાવના ગ્રાઉન્ડ સુધી સ્વાભિમાન યાત્રા યોજાશે. આ યાત્રા અંદાજે 2 કિમી લાંબી હશે. આ યાત્રામાં આગળ અને પાછળ 108 અશ્વો હશે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે હશે. યાત્રાનું સમાપન સદભાવના ગ્રાઉન્ડ ખાતે થશે. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

અયોધ્યા બની સુરક્ષા કિલ્લો: પીએમ મોદીના આગમન પહેલા શહેર સીલ, બ્લેક કેટ કમાન્ડો તૈનાત

અયોધ્યામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ધ્વજવંદન સમારોહ અને રોડ શોને ધ્યાનમાં રાખીને શહેરને અભૂતપૂર્વ સુરક્ષાથી ઘેરી દેવામાં આવ્યું છે. સમગ્ર વિસ્તારને સુરક્ષાનો અકલ્પનીય કિલ્લો બનાવી દેવામાં આવ્યો છે. હવા–જમીન–જળ એમ ત્રણેય માર્ગોથી સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. અયોધ્યા સીલ – પાસ વિના પ્રવેશ બંધ સોમવારથી જ અયોધ્યાની બધી સરહદો સીલ કરી દેવામાં આવી છે. પાસ વગર કોઈને પણ શહેરમાં પ્રવેશવાની મંજૂરી નથી. રામપથ તરફ જતી બધી ગલીઓ બંધ કરી દેવામાં આવી છે. રોડ શો રૂટ પર કડક સુરક્ષા મંગળવારે પીએમ મોદી સાકેત કોલેજથી રામ મંદિર સુધી રોડ શો કરશે. આ રૂટની બંને બાજુ બેરિકેડ લગાવવામાં આવ્યા છે, અને ઘરોની છતો પર સશસ્ત્ર jજવાન તૈનાત છે. ડ્રોન, CCTV અને જીઓ-ફેન્સિંગથી 360° મોનિટરિંગ – સમગ્ર એરિયામાં ડ્રોન પેટ્રોલિંગ…