વર્ષ 2026નું પહેલું સૂર્યગ્રહણ 17 ફેબ્રુઆરી: સમય, રૂપરેખા અને સૂતકની માહિતી
વર્ષ 2026નું પહેલું સૂર્યગ્રહણ 17 ફેબ્રુઆરીે થવાનું છે. વૈજ્ઞાનિક, ધાર્મિક અને જ્યોતિષીય દૃષ્ટિકોણથી સૂર્યગ્રહણને ખૂબ મહત્વની ઘટના માનવામાં આવે છે. આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ કુંભ રાશિમાં થશે અને સમય દરમિયાન રાહુ પણ કુંભ રાશિમાં રહેશે, જેના કારણે ગ્રહણ બનશે. સૂર્યગ્રહણ સમયસૂચિ શરૂઆત: 3:26 વાગ્યે વલયાકાર ગ્રહણ શરૂ: 5:12 વાગ્યે પીક ટાઈમ: 5:42 વાગ્યે સમાપ્ત: 7:57 વાગ્યે ભારતમાં દ્રશ્ય આ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાશે. ગ્રહણ સાઉથ અમેરિકા, સાઉથ આફ્રિકા, મોરેશિયસ અને એટલાન્ટિક મહાસાગર જેવા પ્રદેશોમાં જોવા મળશે. સૂતક કાળ અને ધાર્મિક મહત્વ જો કે, ભારતમાં ગ્રહણ જોવા માટે ઉપલબ્ધ નથી, પરંતુ ધાર્મિક માન્યતાઓ અનુસાર સૂર્યગ્રહણ પહેલાં આશરે 12 કલાક સુધી સૂતક કાળ માન્ય રહેશે. સૂતક કાળ દરમિયાન શુભ કાર્યો ટાળવા અને સાવધ રહેવાનું કહેવાય છે. રિંગ ઓફ…
જાપાનમાં નવા વર્ષની ‘ધ્રૂજતી’ શરૂઆત: નોડા વિસ્તારમાં 6.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ
નવા વર્ષ 2026ની શરૂઆત સાથે જ જાપાનમાં ફરી એકવાર કુદરતી આફતે દસ્તક આપી છે. બુધવાર અને ગુરુવારની મધરાત્રિએ સ્થાનિક સમય મુજબ 12:26 વાગ્યે, જાપાનના પૂર્વી નોડા (Noda) વિસ્તારના દરિયાકાંઠે 6.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS) મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી આશરે 19.3 કિમીની ઊંડાઈએ હતું. રાત્રિના સમયે આવેલા આ આંચકાથી અનેક વિસ્તારોમાં ઈમારતો ધ્રુજવા લાગી હતી અને ઘરોમાં રાખેલો સામાન નીચે પડ્યો હતો. ભયભીત લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના આંચકા મિયાકો શહેરથી લગભગ 96 કિમી દૂર દરિયામાં નોંધાયા હતા, જેની અસર હચિનોહે અને કામાઈશી જેવા શહેરોમાં પણ અનુભવાઈ હતી. જોકે રાહતની વાત એ છે કે આ ભૂકંપ બાદ કોઈ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી નથી અને અત્યાર સુધી કોઈ મોટી…
જાપાનમાં 7.6 તીવ્રતાનો જોરદાર ભૂકંપ, 10 ફૂટ સુધી ઊંચા સુનામી મોજાની ચેતવણી
જાપાનના ઉત્તરી કિનારે સોમવારે 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવતા દેશમાં ગભરાટ ફેલાયો છે. જાપાન હવામાન એજન્સી (JMA) મુજબ, ભૂકંપનો કેન્દ્રબિંદુ સમુદ્રની અંદર હોવાનું જણાતાં સુનામીનો ગંભીર ખતરો ઉભો થયો છે. ઇશિકાવા પ્રીફેક્ચર અને આસપાસના કિનારાકાંઠા વિસ્તારો માટે તાત્કાલિક સુનામી ચેતવણીઓ જાહેર કરી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે સુનામીના મોજા 3 મીટર (લગભગ 10 ફૂટ) સુધી ઊંચા ઉછળી શકે છે, જે મોટા પાયે નુકસાન પહોંચાડી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક રહેવાસીઓને તરત જ ઊંચી જમીન પર સ્થળાંતર કરવા સૂચના આપી છે. દરિયાકાંઠે રહેતા લોકોને દરિયા નજીકથી દૂર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. સરકાર અને કટોકટી સેવાઓએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. રાષ્ટ્રીય ટીવી પર સતત સ્થળાંતર સંબંધિત સૂચનાઓ અને ચેતવણીઓ પ્રસારિત થઈ રહી…









