વર્ષ 2026નું પહેલું સૂર્યગ્રહણ 17 ફેબ્રુઆરી: સમય, રૂપરેખા અને સૂતકની માહિતી

વર્ષ 2026નું પહેલું સૂર્યગ્રહણ 17 ફેબ્રુઆરીે થવાનું છે. વૈજ્ઞાનિક, ધાર્મિક અને જ્યોતિષીય દૃષ્ટિકોણથી સૂર્યગ્રહણને ખૂબ મહત્વની ઘટના માનવામાં આવે છે. આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ કુંભ રાશિમાં થશે અને સમય દરમિયાન રાહુ પણ કુંભ રાશિમાં રહેશે, જેના કારણે ગ્રહણ બનશે.

સૂર્યગ્રહણ સમયસૂચિ
શરૂઆત: 3:26 વાગ્યે
વલયાકાર ગ્રહણ શરૂ: 5:12 વાગ્યે
પીક ટાઈમ: 5:42 વાગ્યે
સમાપ્ત: 7:57 વાગ્યે

ભારતમાં દ્રશ્ય
આ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાશે. ગ્રહણ સાઉથ અમેરિકા, સાઉથ આફ્રિકા, મોરેશિયસ અને એટલાન્ટિક મહાસાગર જેવા પ્રદેશોમાં જોવા મળશે.

સૂતક કાળ અને ધાર્મિક મહત્વ
જો કે, ભારતમાં ગ્રહણ જોવા માટે ઉપલબ્ધ નથી, પરંતુ ધાર્મિક માન્યતાઓ અનુસાર સૂર્યગ્રહણ પહેલાં આશરે 12 કલાક સુધી સૂતક કાળ માન્ય રહેશે. સૂતક કાળ દરમિયાન શુભ કાર્યો ટાળવા અને સાવધ રહેવાનું કહેવાય છે.

રિંગ ઓફ ફાયર
આ ગ્રહણ વલયાકાર હશે, જેને રીંગ ઓફ ફાયર તરીકે ઓળખવામાં આવે છે. ગ્રહણના પીક સમયે, સૂર્યનું કેન્દ્ર અંધકારથી ઢંકાયેલું હશે અને આસપાસ પ્રકાશનું તેજસ્વી વર્તુળ દેખાશે, જે રિંગ જેવું પ્રતીક બનાવશે. વલયાકાર સૂર્યગ્રહણ દરમિયાન, સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં ગોઠવાયેલા હોય છે.

વર્ષનું આ પહેલું સૂર્યગ્રહણ વૈજ્ઞાનિક અને જ્યોતિષીય દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે, અને આ અંગે તૈયારી અને સુરક્ષા અંગે સાવધ રહેવી જરૂરી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ગુજરાતને મેરિટાઇમ ક્ષેત્રમાં મોટી ભેટ: પોરબંદરમાં શિપબિલ્ડિંગ ક્લસ્ટર, વડીનારમાં ₹1,570 કરોડનું શિપ રિપેર હબ બનશે

ગુજરાતના દરિયાકાંઠાના વિકાસને વધુ વેગ આપતા કેન્દ્ર સરકારના બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે બે મહત્ત્વાકાંક્ષી મેરિટાઇમ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ અંતર્ગત પોરબંદરમાં ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટર અને કચ્છના અખાતમાં…

ભારતીય પ્રવાસીઓ માટે થાઇલેન્ડનો મોટો નિર્ણય: વિઝા-ફ્રી એન્ટ્રી યથાવત, પરંતુ હવે માત્ર 30 દિવસ રોકાણની મંજૂરી

થાઇલેન્ડ ફરવા જવાની યોજના બનાવી રહેલા ભારતીયો માટે મહત્વના સમાચાર છે. થાઇ સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય નાગરિકો માટે વિઝા-ફ્રી એન્ટ્રીની સુવિધા ચાલુ રહેશે, પરંતુ હવે દેશમાં મહત્તમ 30…