જુઓ: અભિષેક-ઐશ્વર્યા રાય વિદેશમાં ન્યૂ યર વેકેશન સેલિબ્રેટ કરીને સાથે પરત ફર્યા, દીકરી આરાધ્યા સાથે સુંદર બોન્ડ બતાવ્યું
બચ્ચન પરિવારમાં અણબનાવની હેડલાઈન્સ માત્ર અફવા બની ગઈ છે. ગયા વર્ષથી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચે છૂટાછેડા અને વિવાદના સમાચારો ચર્ચામાં હતા, પરંતુ આખરે આ અફવાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.તાજેતરમાં જ આ કપલ તેમની પુત્રી આરાધ્યા સાથે ન્યૂ યર સેલિબ્રેટ કરવા માટે વિદેશ ગયા હતા જ્યાંથી તેઓ હવે પરત ફર્યા છે. શનિવારે, 4 જાન્યુઆરીના રોજ, અભિષેક-ઐશ્વર્યા અને આરાધ્યા મુંબઈ એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. તેમને એકસાથે જોઈને આખરે છૂટાછેડાના સમાચાર પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. તેમનો લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં પરિવાર વેકેશન સેલિબ્રેટ કરીને ખુશીથી પરત ફરતો જોવા મળે છે. આ કપલ શનિવારે સવારે મુંબઈ એરપોર્ટથી બહાર નીકળતું જોવા મળ્યું હતું. અભિષેકે ગ્રે કલરની હૂડી પહેરી હતી અને…
PMMLએ જવાહરલાલ નહેરુના પત્રો સોનિયા ગાંધી પાસેથી પરત માંગ્યા
વડાપ્રધાનના સંગ્રહાલય અને પુસ્તકાલયે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા લખેલા અંગત પત્રો પરત કરવાની ઔપચારિક વિનંતી કરી છે. આ પત્રો 2008માં યુપીએ શાસન દરમિયાન સોનિયા ગાંધીને મોકલવામાં આવ્યા હતા. 10 ડિસેમ્બરના રોજ લખેલા પત્રમાં પીએમએમએલના સભ્ય રિઝવાન કાદરીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સોનિયા ગાંધી પાસેથી અસલ પત્ર પરત લેવા અથવા તેની ફોટોકોપી અથવા ડિજિટલ કોપી આપવા વિનંતી કરી છે.. આ વર્ષે સપ્ટેમ્બરમાં પણ પીએમએમએલએ સોનિયા ગાંધીને પત્ર પરત કરવાની વિનંતી કરી હતી. 1971માં પીએમએમએલને પત્રો સોંપવામાં આવ્યા હતા જવાહરલાલ નેહરુએ લખેલા આ પત્રોને ઐતિહાસિક માનવામાં આવે છે. આને 1971માં જવાહરલાલ નહેરુ મેમોરિયલ દ્વારા નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરી (હવે PMML)ને સોંપવામાં આવ્યા હતા. જો કે, 2008માં, તેમને 51 બોક્સમાં પેક કરીને સોનિયા ગાંધીને મોકલવામાં આવ્યા…








