PMMLએ જવાહરલાલ નહેરુના પત્રો સોનિયા ગાંધી પાસેથી પરત માંગ્યા

વડાપ્રધાનના સંગ્રહાલય અને પુસ્તકાલયે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા લખેલા અંગત પત્રો પરત કરવાની ઔપચારિક વિનંતી કરી છે. આ પત્રો 2008માં યુપીએ શાસન દરમિયાન સોનિયા ગાંધીને મોકલવામાં આવ્યા હતા. 10 ડિસેમ્બરના રોજ લખેલા પત્રમાં પીએમએમએલના સભ્ય રિઝવાન કાદરીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સોનિયા ગાંધી પાસેથી અસલ પત્ર પરત લેવા અથવા તેની ફોટોકોપી અથવા ડિજિટલ કોપી આપવા વિનંતી કરી છે.. આ વર્ષે સપ્ટેમ્બરમાં પણ પીએમએમએલએ સોનિયા ગાંધીને પત્ર પરત કરવાની વિનંતી કરી હતી.

1971માં પીએમએમએલને પત્રો સોંપવામાં આવ્યા હતા

જવાહરલાલ નેહરુએ લખેલા આ પત્રોને ઐતિહાસિક માનવામાં આવે છે. આને 1971માં જવાહરલાલ નહેરુ મેમોરિયલ દ્વારા નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરી (હવે PMML)ને સોંપવામાં આવ્યા હતા. જો કે, 2008માં, તેમને 51 બોક્સમાં પેક કરીને સોનિયા ગાંધીને મોકલવામાં આવ્યા હતા.આ સંગ્રહમાં નેહરુ અને એડવિના માઉન્ટબેટન, આલ્બર્ટ આઈન્સ્ટાઈન, જયપ્રકાશ નારાયણ, પદ્મજા નાયડુ, વિજયા લક્ષ્મી પંડિત, અરુણા અસફ અલી, બાબુ જગજીવન રામ અને ગોવિંદ બલ્લભ પંત જેવી અગ્રણી હસ્તીઓ વચ્ચેના પત્રવ્યવહારનો સમાવેશ થાય છે.તેમ પત્રમાં જણાવાયું હતું

PMMLએ પોતાના પત્રમાં લખ્યું છે કે આ પત્રો ભારતીય ઈતિહાસના મહત્વના સમયગાળા વિશે અમૂલ્ય માહિતી પ્રદાન કરે છે. આ કારણોસર, પીએમએમએલએ તેમને સંસ્થાના આર્કાઇવ્સમાં પાછા મોકલવાની માંગ કરી છે. પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે, “અમે સમજીએ છીએ કે આ દસ્તાવેજો ‘નેહરુ પરિવાર’ માટે વ્યક્તિગત મહત્વ ધરાવે છે. PMML માને છે કે આ ઐતિહાસિક સામગ્રીઓથી વિદ્વાનો અને સંશોધકોને ઘણો ફાયદો થશે.

ગાંધી પરિવાર પર ભાજપે નિશાન સાધ્યું

પીએમએમએલ દ્વારા પત્ર પરત માંગવામાં આવ્યા બાદ ભાજપે ગાંધી પરિવાર પર નિશાન સાધ્યું છે. BJP IT સેલના પ્રભારી અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પર લખ્યું, “મને જે ખાસ રસપ્રદ લાગ્યું તે એ છે કે નહેરુજીએ એડવિના માઉન્ટબેટનને શું લખ્યું હશે જેના માટે આવી સેન્સરશિપની જરૂર પડી? શું રાહુલ ગાંધીએ આ પત્રો વાંચ્યા હશે?”

Related Posts

Ahmedabad News: શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં Young manનું આપઘાત, ઇલેક્ટ્રિક રૂમમાં મળી લટકતી લાશ 2026 Dies by Suicide

Young man પોલીસ સ્ટેશનમાં યુવકે પેન્ટથી પંખે લટકીને આપઘાત કર્યો: ટ્રેનમાં જામનગરથી યુપી જતો હતો, અમદાવાદ ઉતરી ચાલતો પોલીસ સ્ટેશન પહોંચ્યો; પોલીસે ભાઈ સાથે પણ વાત કરાવી Young man: અમદાવાદમાં શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉત્તરપ્રદેશના એક યુવકે પોલીસ સ્ટેશનના ઇલેક્ટ્રિક રૂમમાં જઈને જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના બની છે. Young man જામનગરથી ઉત્તરપ્રદેશ જવા માટે ટ્રેનમાં પોતાના મિત્ર સાથે નીકળ્યો હતો. જોકે, અમદાવાદ પહોંચ્યા બાદ તે ટ્રેનમાંથી ઉતરી ગયો હતો અને ચાલીને શહેરકોટડા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. યુવકે કોઈ વ્યક્તિ તેને હેરાન કરતી હોવાની ફરિયાદ પોલીસ સમક્ષ કરી હતી. ત્યારબાદ પોલીસે તેને પોલીસ સ્ટેશનમાં લાવી તેના પરિવારજનો સાથે પણ વાત કરાવી હતી. આ દરમિયાન યુવકે પોલીસ સ્ટેશનના ઇલેક્ટ્રિક રૂમમાં જઈને આ પગલું…

Gujarat Child Protection Policy 2026: ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ નીતિ-૨૦૨૬ જાહેર..

Gujarat સરકારે જાહેર કરી ‘ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ નીતિ-2026’ બાળકો વિરુદ્ધ હિંસા, શોષણ, દુર્વ્યવહાર અને ઉપેક્ષા સામે ઝીરો ટોલરન્સ; શાળા, હૉસ્પિટલથી લઈને ડિજિટલ દુનિયા સુધી બાળ સુરક્ષાનું કવચ ગાંધીનગર, 15 સપ્ટેમ્બર : Gujaratના દરેક બાળકને સુરક્ષિત, ગૌરવપૂર્ણ અને અધિકારસભર બાળપણ મળે તે દિશામાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પહેલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ‘Gujarat રાજ્ય બાળ સંરક્ષણ નીતિ-2026’ જાહેર કરી છે. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ બાળકોને હિંસા, શોષણ, દુર્વ્યવહાર, ઉપેક્ષા અને કોઈપણ પ્રકારના ભેદભાવથી સુરક્ષિત રાખી તેમના સર્વાંગી વિકાસ માટે સુરક્ષિત અને સમાનતાપૂર્ણ વાતાવરણ ઊભું કરવાનો છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા જાહેર કરાયેલી આ નીતિ રાજપત્રમાં પ્રકાશિત થયાની તારીખથી અમલમાં આવી છે. નીતિ તૈયાર કરતી વખતે વિવિધ કાયદા, માર્ગદર્શિકાઓ અને બાળ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *