નેપાળમાં વિનાશક પૂરથી હાહાકાર: 157નાં મોત, 750થી વધુ લોકો લાપતા; બિહાર અને ઉત્તર પ્રદેશમાં હાઈ એલર્ટ
નેપાળના હિમાલયી વિસ્તારમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડથી ભારે તબાહી સર્જાઈ છે. આ કુદરતી આપદામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 157 લોકોના મોત થયા છે, જ્યારે 750થી વધુ લોકો લાપતા હોવાના અહેવાલ છે. લાપતા લોકોમાં 133 ભારતીય નાગરિકો પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. અનેક ગામો, રસ્તાઓ, પુલો અને વીજ પ્રોજેક્ટ્સને ભારે નુકસાન પહોંચ્યું છે. બચાવ અને રાહત કામગીરી હજુ પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ આપદાની અસર હવે ભારત સુધી પહોંચવાની આશંકા વચ્ચે કેન્દ્ર સરકારે બિહાર અને ઉત્તર પ્રદેશને હાઈ એલર્ટ પર રાખ્યા છે. ગંડક નદીના જળસ્તરમાં વધારો થતાં બિહારના અનેક જિલ્લાઓમાં વહીવટી તંત્રને સતર્ક કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને NDRF સહિતની રાહત ટીમોને તૈયાર રાખવામાં આવી…
કોલકાતા: નઝીરાબાદમાં ગોડાઉનમાં ભીષણ આગ, 7ના મોત 20 જેટલા લાપતા
ગણતંત્ર દિવસના પાવન પર્વે કોલકાતાના નઝીરાબાદ વિસ્તારમાંથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. સોમવાર, 26 જાન્યુઆરી 2026ના સવારે લગભગ 3 વાગ્યે ડ્રાય ફૂડ અને સોફ્ટ ડ્રિંક્સના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી, જેમાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 20 જેટલા લોકો હજુ પણ લાપતા છે. સાંકડી ગલીઓમાં બચાવ કાર્ય અડચણભર્યું અગ્નિગામ લાગતા જ અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી 15 ફાયર બ્રિગેડ ટીમોને ગોડાઉનમાં પ્રવેશ અને પાણી પહોંચાડવામાં મુશ્કેલી આવી, કારણ કે વિસ્તાર ખૂબ સાંકડી ગલીમાં આવેલો હતો. આગ એટલી વિકરાળ હતી કે બાજુના ગોડાઉનમાં પણ ફેલાઈ ગઈ અને લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થયો. લોકોનો આક્ષેપ સ્થાનિકો અને શ્રમિકોનો આક્ષેપ છે કે ગોડાઉનના દરવાજા બહારથી બંધ હતાં, જેના કારણે અંદર ફસાયેલા લોકોને બહાર નીકળવાનો…
PM મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે કરી વાત, ચક્રવાત દિત્વાહાથી થયેલા નુકસાનને લઈ આપી સહાયની ખાતરી
શ્રીલંકામાં ચક્રવાત દિત્વાહાને કારણે જાનમાલનો મોટો નુકસાન થયો છે. સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સાથે ફોન પર વાત કરી અને આ મુશ્કેલ સમયમાં ભારતની માનવતાવાદી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત શ્રીલંકાની સહાય માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે અને ભારત દ્વારા મોકલવામાં આવેલી રાહત સામગ્રી અને બચાવ ટીમો જમીન પર કાર્યરત છે. તેમણે રાષ્ટ્રપતિને ખાતરી આપી કે ઓપરેશન સાગર બંધુ હેઠળ જરૂર મુજબ રાહત, બચાવ અને માનવતાવાદી સહાય પહોંચાડવામાં આવશે. રાષ્ટ્રપતિ દિસાનાયકે ભારતનો આભાર માન્યો શ્રીલંકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતની તાત્કાલિક સહાયથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી ઝડપી બની છે. ભારતીય બચાવ ટીમોની સમયસર તૈનાતી અને મોકલવામાં આવેલા પુરવઠા કારણે અનેક લોકોને તરત રાહત મળી છે. તેમણે ભારત દ્વારા લેવામાં આવેલા…
IAFએ ઇતિહાસ રચ્યો: મ્યાનમારમાં કૌભાંડના શિકાર બનેલા કુલ 1,500 લોકોને સફળ મુક્ત કરાયા, જાણો વિગત
ભારતીય વાયુસેના (IAF) એ ફરી એક વખત પ્રશંસનીય કામગીરી કરતા થાઇલેન્ડના માએ સોટ વિસ્તારથી 125 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે ભારત પરત મોકલ્યા. મ્યાનમારના માયાવાડી વિસ્તારમાં ફેલાયેલા નોકરી કૌભાંડના જાળમાં ફસાયેલા ભારતીયોને મુક્ત કરવા માટે ભારત દ્વારા સતત પ્રયત્નો ચાલુ છે. માર્ચ 2024થી અત્યાર સુધીમાં કુલ 1,500 ભારતીયોને બચાવવામાં આવ્યા છે. ભારત સરકારના માર્ગદર્શનમાં બેંગકોક સ્થિત ભારતીય દૂતાવાસ અને ચિયાંગ માઇના કોન્સ્યુલેટે, થાઇલેન્ડની વિવિધ સરકારી એજન્સીઓ સાથે મળીને, આ ફસાયેલા ભારતીયોને માનવતાવાદી આધાર પર સ્વદેશ પરત લાવવા મદદરૂપ બન્યા છે. દૂતાવાસની કડક ચેતવણી દૂતાવાસે તમામ ભારતીયોને ખાસ ચેતવણી આપી છે કે “વિદેશમાં નોકરી માટે જતા પહેલા કંપની અને એજન્ટોની સઘન તપાસ કરવી જરૂરી છે. થાઇલેન્ડમાં વિઝા-મુક્ત પ્રવેશ માત્ર પર્યટન અને નાના વ્યવસાય માટે માન્ય છે, રોજગાર માટે…











