ફિલિપાઇન્સમાં ભીષણ આગ: 1000 ઘરો બળીને રાખ,5000થી વધુ લોકો બેઘર

દક્ષિણ ફિલિપાઇન્સના બોંગાઓ શહેર નજીક આવેલા એક નાના ટાપુ પર મંગળવાર રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં એક આખી વસાહત નાશ પામી હતી. આગમાં અંદાજે 1000 ઘરો બળીને રાખ થયા છે અને 5000થી વધુ લોકો બેઘર બન્યા છે. સમાચાર એજન્સી પીએનએ મુજબ, આગ બારંગે લામિયન વિસ્તારમાં લાગી હતી. આ વિસ્તાર દરિયાના પાણી ઉપર લાકડાના સ્થીલ્ટ પર બનેલા ઘરો માટે જાણીતો છે. મોટાભાગના ઘરો લાકડા, વાંસ અને નાળિયેરના પાન જેવા હળવા પદાર્થોથી બનેલા હોવાથી આગ ઝડપથી એક ઘરથી બીજા ઘરમાં ફેલાઈ ગઈ. જોરદાર પવનને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને લગભગ ચાર કલાક સુધી સળગતી રહી. આગ એટલી ભયંકર હતી કે આખી વસાહત ખાલી કરાવવી પડી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં રાત્રિના અંધકારમાં વિશાળ…

મોન્થાનો ચક્રવાતનો મહાખતરો: આંધ્રપ્રદેશના કિનારે તોળાઈ રહ્યું સંકટ, 4 રાજ્યોમાંથી 50 હજાર લોકોનું સ્થળાંતર

બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાતી વાવાઝોડું ‘મોન્થા’ વધુ તીવ્ર બનીને દક્ષિણ ભારત તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું દરિયાકાંઠાના વિસ્તારોમાં ગંભીર ખતરો ઉભો કરી રહ્યું છે અને વિશેષતઃ આંધ્રપ્રદેશના કિનારે ભારે નુકસાનનો અંદેશો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, વાવાઝોડું હાલમાં આંધ્રપ્રદેશના દરિયાકિનારેથી માત્ર 50 કિલોમીટર દૂર છે અને પવનની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનારા 24 કલાકમાં કાકીનાડા અને મછલીપટ્ટનમ વચ્ચે આંધ્રપ્રદેશના કિનારેથી વાવાઝોડું પસાર થવાની સંભાવના છે, જેમાં પવનની મહત્તમ ગતિ 110 કિમી/કં સુધી પહોંચી શકે છે. 4 રાજ્યોમાં હાઈ એલર્ટ આ ગંભીર પરિસ્થિતિને પગલે આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ સરકારોએ હાઈ એલર્ટ જાહેર કર્યું છે. નિકાસ અને સલામતી માટે રાજ્ય સરકારોએ 50,000 થી વધુ લોકોને…