ગુજરાતમાં 40,500 લોકોનું સ્થળાંતર, 1,100 રસ્તા બંધ; 2,637 લોકોનું રેસ્ક્યુ
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાઈ ગયા છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા સ્થિતિને પહોંચી વળવા માટે સતત રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વરસાદની સ્થિતિ, અસરગ્રસ્ત વિસ્તારો અને રાહત કામગીરીની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ તંત્રને સતત એલર્ટ રહેવા અને જરૂરિયાતમંદ લોકો સુધી તાત્કાલિક મદદ પહોંચાડવા સૂચના આપી છે. રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ રાજ્યની વરસાદી સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તમામ વિભાગોને સતર્ક રાખવામાં આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા માટે…







