RBI ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ પાડશે બહાર, જાણો શું થશે જૂની નોટોનું?

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ બહાર પાડશે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ કહ્યું છે કે બેંક ટૂંક સમયમાં ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી મહાત્મા ગાંધી (નવી) સીરિઝમાં 20 રૂપિયાની નોટ બહાર પાડશે. આ નોટોની ડિઝાઇન બધી રીતે મહાત્મા ગાંધી (નવી) સીરિઝની 20 રૂપિયાની નોટ જેવી જ છે. રિઝર્વ બેંક દ્વારા ભૂતકાળમાં જારી કરાયેલી તમામ 20 રૂપિયાની નોટો કાયદેસર ટેન્ડર તરીકે ચાલુ રહેશે. RBI એ એક સૂચના જારી કરીને કહ્યું છે કે, ‘ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી મહાત્મા ગાંધી (નવી) સીરિઝમાં 20 રૂપિયાની નોટ બહાર પાડશે. આ નોટોની ડિઝાઇન મહાત્મા ગાંધી (નવી) સીરિઝની 20 રૂપિયાની નોટ જેવી જ છે. આનો અર્થ એ થયો કે નવી નોટો જૂની નોટો જેવી…