Gen Z દેશની સૌથી પ્રામાણિક પેઢી, વિરોધ કરનારાઓને દેશદ્રોહી ન કહો: RSS પ્રમુખ મોહન ભાગવત
દેશભરમાં વિદ્યાર્થીઓ અને યુવાનો દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે દેશની નવી પેઢી એટલે કે Gen Z અને Gen Alpha પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આજની યુવા પેઢી સવાલ પૂછે છે, તર્ક માંગે છે અને પરિવર્તનની માંગ કરે છે, જેને નકારાત્મક રીતે જોવાની જરૂર નથી. ભાગવતે કહ્યું કે યુવાનોનો અવાજ લોકશાહીની શક્તિ છે અને તેમની વાતને ગંભીરતાથી સાંભળવી જોઈએ. તેમણે ઉમેર્યું કે આજના યુવાનો માત્ર વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરતા નથી, પરંતુ તેઓ સમાજ અને વ્યવસ્થામાં જરૂરી સુધારાની માંગ માટે અવાજ ઉઠાવે છે. વિરોધ કરનાર પેઢીને દેશદ્રોહી ગણાવવું યોગ્ય નથી…
જાતિવાદને લઈ RSS વડા મોહન ભાગવતનું મોટું નિવેદન, લોકોને કરી આ અપીલ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે સમાજમાં પ્રવર્તતા જાતિ ભેદભાવ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો જાતિ ભેદભાવ નાબૂદ કરવો હોય તો પહેલા મનમાંથી જાતિ નાબૂદ કરવી પડશે. આ ભાષણ RSSની શતાબ્દી નિમિત્તે આયોજિત જાહેર સેમિનાર દરમિયાન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોહન ભાગવતે જનતા સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમની સાથે પ્રાંતીય સંઘચાલક અનિલ ભાલેરાવ પણ મંચ પર હતા. ભાષણ દરમિયાન તેમણે કહ્યું, “પહેલાં, જાતિ વ્યવસાય અને કાર્ય સાથે જોડાયેલી હતી, પરંતુ પછીથી તે સમાજમાં ફેલાયેલી અને ભેદભાવનું કારણ બની.” “મનમાંથી જાતિવાદ દૂર કરવો જ જોઇએ.” જાતિવાદની સમસ્યા પર બોલતા, ભાગવતે લોકોને અપીલ કરી કે તેઓ તેને તેમના મનમાંથી નાબૂદ કરે. તેમણે કહ્યું, “આ ભેદભાવનો અંત લાવવા માટે, મનમાંથી…








