પાકિસ્તાનના જનરલ અસીમ મુનીરને કાશ્મીર મામલે ભારતે આપ્યો સણસણતો જવાબ, જાણો શું કહ્યું

પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર દ્વારા કાશ્મીર અને બે રાષ્ટ્ર સિદ્ધાંત અંગે આપવામાં આવેલા નિવેદન પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. ભારતે ગુરુવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ભારતનો અભિન્ન ભાગ છે અને પાકિસ્તાને તેને કોઈપણ કિંમતે ખાલી કરવું પડશે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે કાશ્મીર ભારતનો એક ભાગ છે અને પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળ છે. તેમણે જનરલ મુનીરના દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંત પરના નિવેદનને નકારી કાઢ્યું અને કહ્યું કે આ સિદ્ધાંત 1971 માં બાંગ્લાદેશની સ્વતંત્રતા સાથે સમાપ્ત થઈ ગયો હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાન ગમે તેટલા નિવેદનો આપે, તે વાસ્તવિકતા બદલી શકતું નથી કે જમ્મુ અને કાશ્મીર ભારતનો ભાગ હતો, છે અને હંમેશા રહેશે. મુનિરે શું કહ્યું હતું જનરલ અસીમ…