પાકિસ્તાનની ‘એકતા’નો ફિયાસ્કો: બ્રેડફોર્ડમાં કાશ્મીરીઓએ ઇસ્લામાબાદના જૂઠાણાંની પોલ ખોલી

પાકિસ્તાન દર વર્ષે 5 ફેબ્રુઆરીએ ‘કાશ્મીર એકતા દિવસ’ ઉજવતું છે અને કાશ્મીરીઓના હકનો દાવો કરતું દેખાવ કરે છે. પરંતુ આ વર્ષે બ્રિટનના બ્રેડફોર્ડમાં પાકિસ્તાની કોન્સ્યુલેટની બહાર કાશ્મીરી લોકોએ મોટું વિરોધ પ્રદર્શન કરીને પાકિસ્તાનની છલકામ અને PoJKમાં થતા અત્યાચારની ખરાબ હકીકત દુનિયા સામે ઊઘાડી દીધી છે. ‘આ એકતા નહીં, છેતરપિંડી છે’ યુનાઇટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટી (UKPNP) દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શન દરમિયાન કાશ્મીરીઓએ પાકિસ્તાનની ઉજવણીને સખત શબ્દોમાં નકારી કાઢી હતી. UKPNP ના સેક્રેટરી સરદાર તાહિર ખાને જણાવ્યું, “પાકિસ્તાન દ્વારા મનાવવામાં આવતો આ દિવસ કાશ્મીરીઓ સાથે એક મોટી મજાક અને છેતરપિંડી છે. ખરેખર તો આ દિવસને ‘વિશ્વાસઘાત દિવસ’ તરીકે મનાવવો જોઈએ.” પ્રદર્શનકારોએ “અમારી નદીઓ અમારી છે” અને “જમીન હડપવાનું બંધ કરો” જેવા સૂત્રોચ્ચાર કરીને પાકિસ્તાની સેનાના અત્યાચારનો પ્રતિકાર…

દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી: સુરક્ષા દળોએ મુખ્ય આરોપી ઉમર નબીનું ઘર ઉડાવી દીધું, જાણો વિગત

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા ભયાનક બ્લાસ્ટ કેસમાં સુરક્ષા એજન્સીઓએ મોટી કાર્યવાહી કરી છે. તપાસમાં મુખ્ય આરોપી ગણાતા ડૉ. ઉમર નબીના જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આવેલા ઘર પર સુરક્ષા દળોએ ગઈકાલે મોડી રાત્રે નિયંત્રિત વિસ્ફોટ (Controlled Blast) કરીને તેને નષ્ટ કરી દીધું છે. લાલ કિલ્લા પાસે કાર બોમ્બ બ્લાસ્ટમાં 13નાં મોત 11 નવેમ્બરની રાત્રે દિલ્હીના લાલ કિલ્લા પાસે હ્યુન્ડાઈ i20 કારમાં થયેલા વિસ્ફોટમાં 13 લોકોનાં મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. તપાસ મુજબ, કાર ડૉ. ઉમર નબી ચલાવી રહ્યો હતો અને તે જ વિસ્ફોટકોથી ભરેલી કાર ફાટવાથી ઘટનાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું. તપાસ દરમિયાન વિસ્ફોટ સ્થળ પરથી મળેલા ડીએનએ સેમ્પલ ઉમરની માતાના ડીએનએ સાથે મેચ થયા બાદ તેની ઓળખ સત્તાવાર રીતે પુષ્ટિ થઈ. ઉમર…

દિલ્હી બ્લાસ્ટના તાર પુલવામા સુધી પહોંચ્યા : કાર પુલવામાના તારીકને વેચાઇ હોવાનું ખુલાસો, જાણો વિગત

દિલ્હી લાલ કિલ્લા પાસે સોમવારે સાંજે થયેલા ભીષણ કાર વિસ્ફોટ પછી સુરક્ષા એજન્સીઓની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આરંભિક માહિતી અનુસાર, વિસ્ફોટમાં ઉપયોગમાં આવેલ i-20 કાર ઘણી વાર ખરીદવામાં અને વેચવામાં આવી હતી અને છેલ્લે તે પુલવામાના તારીક નામના શખ્સને વેચાઈ હોવાનું સામે આવ્યું છે. વિગતવાર તપાસ અને તપાસમાં મળેલ માહિતી પુલવામામાં રહેતા તારીકને આ કાર વેચાઈ હોવાનો ખુલાસો થતાં સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે. તપાસ મુજબ, ફરિદાબાદમાં આવેલ રોયલ કાર ઝોનમાંથી કાર તારીકને આપવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા હરિયાણાના સલમાન નામના શખ્સની અટકાયત કરી હતી, જે આ i-20 કારનો માલિક હોવાનું બહાર આવ્યું હતું. સલમાનની પૂછપરછમાં એ જાણવા મળ્યું કે કાર બોગસ દસ્તાવેજો વડે ઘણી વખત ખરીદવામાં અને વેચવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ…

“હવે પાકિસ્તાનની ચિઠ્ઠી કાઢશે બાબા બાગેશ્વર!”, ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં ભારે આક્રોશની લાગણી ફાટી નીકળી છે. આ હુમલામાં અનેક નિર્દોષ લોકોએ પોતાનું જીવન ગુમાવ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા, આતંકવાદ, અને સરકારના પ્રત્યાઘાત મુદ્દે ચર્ચાઓ વચ્ચે હવે ધીરેન્દ્ર શાસ્ત્રી એટલે કે બાબા બાગેશ્વરનું નામ ફરી ચર્ચામાં આવ્યું છે. સેનાને “દિવ્ય શક્તિઓ”થી મદદ કરવાનું સંકેત સોશિયલ મીડિયામાં હાલ ધીન્દ્રેન્દ્ર શાસ્ત્રીનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહે છે કે “હવે માત્ર સૈન્ય શક્તિથી નહીં, પણ બાલાજીની દિવ્ય શક્તિથી પણ દેશની રક્ષા થવી જોઈએ.” તેમણે એવો દાવો કર્યો છે કે તેઓ સેનાને ગુપ્ત જાણકારી પ્રદાન કરી શકે છે, જે દેવશક્તિના આધારે તેમને મળતી હોય છે. શાસ્ત્રીનો વીડિયો: “સેનાને સાથે આપીશું સહયોગ” વીડિયો પ્રમાણે, શાસ્ત્રી કહે છે કે તેઓ ભણેલા નથી…