“હવે પાકિસ્તાનની ચિઠ્ઠી કાઢશે બાબા બાગેશ્વર!”, ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં ભારે આક્રોશની લાગણી ફાટી નીકળી છે. આ હુમલામાં અનેક નિર્દોષ લોકોએ પોતાનું જીવન ગુમાવ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા, આતંકવાદ, અને સરકારના પ્રત્યાઘાત મુદ્દે ચર્ચાઓ વચ્ચે હવે ધીરેન્દ્ર શાસ્ત્રી એટલે કે બાબા બાગેશ્વરનું નામ ફરી ચર્ચામાં આવ્યું છે.

સેનાને “દિવ્ય શક્તિઓ”થી મદદ કરવાનું સંકેત
સોશિયલ મીડિયામાં હાલ ધીન્દ્રેન્દ્ર શાસ્ત્રીનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહે છે કે “હવે માત્ર સૈન્ય શક્તિથી નહીં, પણ બાલાજીની દિવ્ય શક્તિથી પણ દેશની રક્ષા થવી જોઈએ.” તેમણે એવો દાવો કર્યો છે કે તેઓ સેનાને ગુપ્ત જાણકારી પ્રદાન કરી શકે છે, જે દેવશક્તિના આધારે તેમને મળતી હોય છે.

શાસ્ત્રીનો વીડિયો: “સેનાને સાથે આપીશું સહયોગ”
વીડિયો પ્રમાણે, શાસ્ત્રી કહે છે કે તેઓ ભણેલા નથી એટલે સેનામાં અધિકારી તરીકે જોડાઈ શકતા નથી, પણ પોતાની આધ્યાત્મિક શક્તિઓ દ્વારા સેનાને મદદ કરી શકે છે. તેમણે કહ્યું કે “અમને ભવિષ્યમાં શું થવાનું છે તે પહેલેથી જાણ કરવાની શક્તિ છે. સેનાએ તેનો ઉપયોગ કરવો જોઈએ.”

રક્ષામંત્રીને સલાહ આપવાનો દાવો
ધીન્દ્રેન્દ્ર શાસ્ત્રીએ એવો પણ દાવો કર્યો છે કે તેઓ રક્ષામંત્રી સાથે પણ વાત કરશે જેથી તેમની શક્તિઓનો રાષ્ટ્રહિતમાં ઉપયોગ કરી શકાય. તેઓ કહે છે કે એવી માહિતી જાહેરમાં જણાવવી યોગ્ય નથી કારણ કે “લોકો અમને જ ઉડાવી દેશે.”

સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનું ઘોડાપુર
વિડિયો જ્યારે સોશિયલ મીડિયા પર પોસ્ટ થયો ત્યારથી અનેક મજાકિય ટિપ્પણીઓ પણ જોવા મળી રહી છે. એક યૂઝરે લખ્યું, “લાગે છે બાબાને હવે પાકિસ્તાનના ગુપ્ત પ્લાનની જાણકારી દેવશક્તિથી મળી રહી છે.” બીજાએ લખ્યું, “પુલવામા અને પહલગામ વખતે તો બાબા જમાના પહેલા જન્મમાં હશે.” એક તરફ જ્યાં લોકો તેમના દાવાઓને મજાક તરીકે જોઈ રહ્યાં છે, બીજી તરફ કેટલાક અનુયાયીઓ બાબા બાગેશ્વરના સમર્થનમાં ઊભા રહ્યા છે. અનેક યુઝર્સે કહ્યું કે, “દેશને હવે આધ્યાત્મિક નેતાઓનો સહયોગ પણ લેવો જોઈએ.”

Related Posts

પેકેજ્ડ ફૂડ પર વોર્નિંગ લેબલ મુદ્દે સુપ્રીમ કોર્ટનો કડક વલણ, FSSAIને બે અઠવાડિયાની મહેતલ

પેકેજ્ડ ખાદ્ય પદાર્થોમાં ખાંડ, મીઠું અને સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ વધુ હોય તો તેના પેકેટના આગળના ભાગે સ્પષ્ટ ચેતવણી આપતું લેબલ લગાવવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણ પ્રાધિકરણ (FSSAI) સામે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે દેશના દરેક નાગરિકને તે શું ખાઈ રહ્યો છે અને ખાદ્ય પદાર્થમાં ખાંડ, મીઠું તથા સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ કેટલું છે તેની જાણકારી મેળવવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે સરકારને અંતિમ નિર્ણય લેવા માટે બે અઠવાડિયાનો સમય આપ્યો છે. સાથે જ ચેતવણી આપી છે કે જો સરકાર અને FSSAI તરફથી યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો અદાલત પોતે જ આ અંગે જરૂરી આદેશ જારી કરી શકે છે. શું છે સમગ્ર મામલો? આ મામલો પેકેજ્ડ ફૂડના…

‘ગાંજા કાંડ’ બાદ એર ઇન્ડિયાનો મોટો નિર્ણય, ગ્રૂપના તમામ પાયલટોનું ફરજિયાત ડ્રગ સ્ક્રીનિંગ

એર ઇન્ડિયા ગ્રૂપે પાયલટોની સલામતી અને મુસાફરોના વિશ્વાસને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. 13 ઓગસ્ટ 2026થી એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસના તમામ પાયલટોનું ફરજિયાત સાયકોએક્ટિવ સબસ્ટન્સ સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ તપાસમાં ઉડ્ડયન નિયમો હેઠળ પ્રતિબંધિત પદાર્થો અને કેટલીક પ્રતિબંધિત દવાઓની તપાસ કરવામાં આવશે. આ નિર્ણય 4 ઓગસ્ટની ફુકેત-દિલ્હી ફ્લાઇટ AI2379 સાથે જોડાયેલી ગંભીર ઘટનામાં પાયલટના મારિજુઆના ટેસ્ટના પોઝિટિવ પરિણામ બાદ લેવામાં આવ્યો છે. એર ઇન્ડિયાના તમામ પાયલટોની થશે તપાસ એર ઇન્ડિયાના નવા નિર્ણય હેઠળ માત્ર શંકાસ્પદ પાયલટો જ નહીં, પરંતુ ગ્રૂપના તમામ પાયલટોને સ્ક્રીનિંગ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આ ટેસ્ટ ટ્રેનિંગ સેશન દરમિયાન, ફ્લાઇટ બાદ તેમજ પાયલટોના નિર્ધારિત બેઝ અને અન્ય સ્થળોએ કરવામાં આવશે. કંપનીના ગુરુગ્રામ ટ્રેનિંગ એકેડેમી, ફ્લાઇટ બ્રીફિંગ સેન્ટર અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *