પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં ભારે આક્રોશની લાગણી ફાટી નીકળી છે. આ હુમલામાં અનેક નિર્દોષ લોકોએ પોતાનું જીવન ગુમાવ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા, આતંકવાદ, અને સરકારના પ્રત્યાઘાત મુદ્દે ચર્ચાઓ વચ્ચે હવે ધીરેન્દ્ર શાસ્ત્રી એટલે કે બાબા બાગેશ્વરનું નામ ફરી ચર્ચામાં આવ્યું છે.
સેનાને “દિવ્ય શક્તિઓ”થી મદદ કરવાનું સંકેત
સોશિયલ મીડિયામાં હાલ ધીન્દ્રેન્દ્ર શાસ્ત્રીનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહે છે કે “હવે માત્ર સૈન્ય શક્તિથી નહીં, પણ બાલાજીની દિવ્ય શક્તિથી પણ દેશની રક્ષા થવી જોઈએ.” તેમણે એવો દાવો કર્યો છે કે તેઓ સેનાને ગુપ્ત જાણકારી પ્રદાન કરી શકે છે, જે દેવશક્તિના આધારે તેમને મળતી હોય છે.
શાસ્ત્રીનો વીડિયો: “સેનાને સાથે આપીશું સહયોગ”
વીડિયો પ્રમાણે, શાસ્ત્રી કહે છે કે તેઓ ભણેલા નથી એટલે સેનામાં અધિકારી તરીકે જોડાઈ શકતા નથી, પણ પોતાની આધ્યાત્મિક શક્તિઓ દ્વારા સેનાને મદદ કરી શકે છે. તેમણે કહ્યું કે “અમને ભવિષ્યમાં શું થવાનું છે તે પહેલેથી જાણ કરવાની શક્તિ છે. સેનાએ તેનો ઉપયોગ કરવો જોઈએ.”
રક્ષામંત્રીને સલાહ આપવાનો દાવો
ધીન્દ્રેન્દ્ર શાસ્ત્રીએ એવો પણ દાવો કર્યો છે કે તેઓ રક્ષામંત્રી સાથે પણ વાત કરશે જેથી તેમની શક્તિઓનો રાષ્ટ્રહિતમાં ઉપયોગ કરી શકાય. તેઓ કહે છે કે એવી માહિતી જાહેરમાં જણાવવી યોગ્ય નથી કારણ કે “લોકો અમને જ ઉડાવી દેશે.”
સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનું ઘોડાપુર
વિડિયો જ્યારે સોશિયલ મીડિયા પર પોસ્ટ થયો ત્યારથી અનેક મજાકિય ટિપ્પણીઓ પણ જોવા મળી રહી છે. એક યૂઝરે લખ્યું, “લાગે છે બાબાને હવે પાકિસ્તાનના ગુપ્ત પ્લાનની જાણકારી દેવશક્તિથી મળી રહી છે.” બીજાએ લખ્યું, “પુલવામા અને પહલગામ વખતે તો બાબા જમાના પહેલા જન્મમાં હશે.” એક તરફ જ્યાં લોકો તેમના દાવાઓને મજાક તરીકે જોઈ રહ્યાં છે, બીજી તરફ કેટલાક અનુયાયીઓ બાબા બાગેશ્વરના સમર્થનમાં ઊભા રહ્યા છે. અનેક યુઝર્સે કહ્યું કે, “દેશને હવે આધ્યાત્મિક નેતાઓનો સહયોગ પણ લેવો જોઈએ.”





