ગુજરાતની મહાનગરપાલિકાઓમાં હવે વહિવટદાર શાસન, વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ
ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓમાં વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ થવાના કારણે હવે ત્યાં વહિવટદારો દ્વારા વહીવટ સંભાળવામાં આવશે. આગામી દિવસોમાં જ્યાં સુધી નવું બોર્ડ રચાશે નહીં ત્યાં સુધી મહાનગરપાલિકાઓનો દૈનિક વહીવટ સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા વહિવટદારો સંભાળશે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ વિવિધ શહેરોની મહાનગરપાલિકાઓ માટે વહિવટદારોની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં અગ્ર સચિવ મુકેશ કુમારને વહિવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકામાં શાલિની અગ્રવાલને ચાર્જ સોંપવામાં આવ્યો છે, જ્યારે સુરત મહાનગરપાલિકામાં શિક્ષણ સચિવ મિલિંદ તોરવણેની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકામાં હર્ષદ પટેલને વહિવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ થવાની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. ભાવનગર અને અમદાવાદ મહાનગરપાલિકામાં 9 માર્ચે બોર્ડની મુદત પૂર્ણ થશે. જામનગર…
નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનૈનની નિમણૂક બિહારના રાજ્યપાલ તરીકે, દિલ્હીમાં પણ ઉપરાજ્યપાલ બદલાયા
કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય લઈ બિહાર માટે નવા રાજ્યપાલની નિમણૂક કરી છે. નિવૃત્ત આર્મી લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનૈનને બિહારના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ હાલના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાનનું સ્થાન લેશે. લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) સૈયદ અતા હસનૈને ભારતીય સેનામાં 1974 થી 2013 સુધી સેવા આપી હતી. બિહારમાં નવી સરકારની રચના પહેલા તેમની નિમણૂક રાજકીય દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. દિલ્હીના નવા ઉપરાજ્યપાલનું પણ નામ જાહેર આ સાથે જ કેન્દ્ર સરકારે દિલ્હીના ઉપરાજ્યપાલ પદ પર પણ બદલાવ કર્યો છે. પૂર્વ ઉપરાજ્યપાલ **Vinai Kumar Saxena**ને હવે લદ્દાખના ઉપરાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે દિલ્હીના નવા ઉપરાજ્યપાલ તરીકે તરનજીત સિંહ સંધુની નિમણૂક કરવામાં આવી છે. કોણ છે તરણજીત સિંહ સંધુ? તરણજીત સિંહ…
લદ્દાખના ઉપ રાજ્યપાલ કવિન્દ્ર ગુપ્તાએ આપ્યું અચાનક રાજીનામું
કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના ઉપ રાજ્યપાલ કવિન્દ્ર ગુપ્તાએ ગુરુવારે અચાનક રાજીનામું આપી દીધું. તેમનો રાજીનામાનું કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. આ નિર્ણય લદ્દાખમાં રાજકીય ગતિશીલતા વધારી રહ્યો છે, ખાસ કરીને તે સમયે જ્યારે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે પણ તાજેતરમાં રાજીનામું આપ્યું છે. જુલાઈ 2025માં કવિન્દ્ર ગુપ્તાને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ બ્રિગેડિયર બીડી મિશ્રાની જગ્યાએ આવ્યા હતા, જ્યારે બીડી મિશ્રા પૂર્વમાં આરકે માથુરની જગ્યાએ લદ્દાખના ત્રીજા લેફ્ટનન્ટ ગવર્નર બન્યા હતા. પીશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે 3.5 વર્ષ સેવા બાદ રાજીનામું આપ્યું હતું. રાજીનામા બાદ તેમણે જણાવ્યું, “મેં રાજભવનમાં પૂરતો સમય વિતાવ્યો છે.” પશ્ચિમ બંગાળમાં એપ્રિલ-મે 2026માં ચૂંટણી યોજાવાની છે, જે આ રાજીનામાની પૃષ્ઠભૂમિમાં મહત્વપૂર્ણ છે. Follow us…
આગામી ચૂંટણીઓમાં કેટલાંયે સિટિંગ ઉમેદવારો કપાઈ જશે
15 વર્ષથી વસતિ ગણતરી થઈ નથી, 27 ટકા OBC અનામત, રોટેશન અને 50 ટકા મહિલા અનામત સમગ્ર રાજ્યમાં એક તરફ મહાનગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓ માટે રાજકીય પક્ષોએ દોડધામ તેજ બનાવી દીધી છે, બીજી તરફ વસતિના પ્રમાણમાં ઉમેદવારોને તક મળશે કે કેમ એ બાબતે ભંભેખંભ ચાલી રહ્યું છે કારણ કે પાછલાં પંદર વર્ષથી વસતિ ગણતરી થઈ નથી, ક્યા મતવિસ્તારમાં કઈ જ્ઞાતિના ખરેખર કેટલાં મત છે એ કોઈને ખબર નથી. વસતિ ગણતરી વર્ષોથી થઈ ન હોય, જેતે મતવિસ્તારની સાચી પરિસ્થિતિઓ શું છે, શું તેના સત્તાવાર આંકડાઓ કયાંય, કોઈ પાસે છે નહીં, આથી વિવિધ સમાજોને પૂરતું પ્રતિનિધિત્વ મળશે કે કેમ- એ ભગવાન જાણે. બીજી તરફ આ ચૂંટણીઓ દરમ્યાન 27 ટકા OBC અનામતનો અમલ કરવાનો હોય, જનરલ કેટેગરીના…
નીતિશ કુમારનો મોટો નિર્ણય: CM પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી, રાજ્યસભા જવા તૈયાર
બિહારની રાજનીતિમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યસભા ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે તેઓ આવનારી ચૂંટણીમાં રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપવા માંગે છે. આ જાહેરાત બાદ બિહારના રાજકારણમાં ચર્ચાઓ તેજ બની ગઈ છે. લોકોનો વિશ્વાસ અને સહકાર માટે વ્યક્ત કર્યો આભાર નીતિશ કુમારે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે છેલ્લા બે દાયકાથી વધુ સમયથી બિહારના લોકો તેમને વિશ્વાસ અને સમર્થન આપી રહ્યા છે. લોકોના આ વિશ્વાસના કારણે જ તેમને રાજ્યની સેવા કરવાનો અવસર મળ્યો છે. તેમણે કહ્યું કે આ સમય દરમિયાન બિહાર વિકાસના નવા માર્ગે આગળ વધ્યું છે અને તેમાં લોકોના સહકારનો મહત્વનો ફાળો રહ્યો છે. સંસદના બંને ગૃહોમાં સેવા કરવાની ઈચ્છા મુખ્યમંત્રીએ…
ગુજરાત કેબિનેટની બેઠક યોજાશે આવતી કાલે : PM મોદીના ગુજરાત પ્રવાસ અને સ્થાનિક ચૂંટણીની તૈયારી મુદ્દે ચર્ચા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુરુવારે 10 વાગ્યે કેબિનેટ બેઠક યોજાનાર છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસ, રાજ્ય સરકારના આયોજનો, નીતિગત વિષયો અને બજેટ પર ચર્ચા થવાની સંભાવના છે. કૃષિ વિભાગ દ્વારા ટેકાના ભાવે વિવિધ પાકની ખરીદી સહિતના મુદ્દાઓ પણ ચર્ચા માટે લાવવામાં આવશે. PM મોદી સાણંદ, અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાત વડાપ્રધાન મોદી 28 ફેબ્રુઆરીએ ગુજરાત આવશે. તેઓ સાણંદ ખાતે સેમિકન્ડક્ટર યુનિટમાં પ્રોડક્શન કામગીરીનું નિરીક્ષણ કરશે અને અમદાવાદ તથા ગાંધીનગરમાં ભાજપ સંગઠનની કામગીરીનું મૂલ્યાંકન કરશે. મુલાકાત ખાસ કરીને આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણીની તૈયારી માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીનનું ગુજરાત પ્રવાસ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીન 19 ફેબ્રુઆરીએ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં ભાજપ સંગઠન…
કોણ છે જાઈમા રહેમાન? તારિક રહેમાનની વાપસી સાથે દેશભરમાં ચર્ચાનો વિષય
બાંગ્લાદેશની રાજનીતિમાં 25 ડિસેમ્બર 2025નો દિવસ ઐતિહાસિક બની ગયો છે. બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના કાર્યકારી અધ્યક્ષ તારિક રહેમાન 17 વર્ષ બાદ લંડનથી વતન પરત ફર્યા છે. તેમની વાપસી સાથે દેશભરમાં રાજકીય હલચલ તેજ થઈ છે, પરંતુ આ વખતની ચર્ચા માત્ર તારિક રહેમાન સુધી સીમિત નથી. તેમની દીકરી જાઈમા જરનાજ રહેમાન પણ ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. એરપોર્ટ પર ઉમટ્યો જનસાગર તારિક રહેમાન બાંગ્લાદેશ એરલાઈન્સની ફ્લાઈટ દ્વારા લંડનથી રવાના થયા હતા. ફ્લાઈટ સિલહટમાં સ્ટોપઓવર કર્યા બાદ ગુરુવારે બપોરે ઢાકાના હજરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડ થઈ. એરપોર્ટની બહાર ઠંડી અને ધુમ્મસ હોવા છતાં લાખો BNP સમર્થકો પોતાના નેતાની એક ઝલક મેળવવા કલાકો સુધી રાહ જોતા નજરે પડ્યા. કેમ ચર્ચામાં છે જાઈમા રહેમાન? તારિક રહેમાન પોતાની પત્ની ડૉ.…
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓના PA-PS નિમણૂકની કરાઈ જાહેરાત, જુઓ યાદી
ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણ બાદ તમામ મંત્રીઓ માટે ખાતાની ફાળવણી બાદ હવે અંગત સચિવ (PA), અધિક અંગત સચિવ અને મદદનીશ સ્ટાફની નિમણૂક પણ કરી લેવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી માટે અંગત સચિવ, અધિક અંગત સચિવ અને અંગત મદદનીશની નિમણૂક થઈ ગઈ છે. આ સાથે જ કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓ માટે પણ તેમના સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. આ નિમણૂકથી હવે દરેક મંત્રીએ પોતાની કામગીરીને વધુ અસરકારક રીતે ચલાવવાની તૈયારી શરૂ કરી છે. રાજ્ય સરકારે તમામ PA-PS અને મદદનીશ સ્ટાફ માટે કાર્યક્રમ પ્રમાણે જવાબદારી અને કામગીરીનું વિતરણ કર્યું છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
MCD પેટાચૂંટણી: મતગણતરી આજે સવારે 8 વાગ્યે, બપોર સુધી પરિણામો જાહેર થશે
આજે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ની 12 વોર્ડની પેટાચૂંટણીઓની મતગણતરી સવારે 8 વાગ્યે શરૂ થઈ રહી છે અને અંદાજિત રીતે બપોરે 1 વાગ્યા સુધીમાં પરિણામો જાહેર થવાની અપેક્ષા છે. આ પરિણામો દિલ્હીના રાજકીય દૃશ્યને નવા દિશા આપી શકે છે. વ્યૂહરચના અને સુરક્ષા વ્યવસ્થા – મતગણતરી 10 કેન્દ્રો પર હાથ ધરાશે. – દરેક કેન્દ્ર પર EVM મશીનો સખત સુરક્ષા અને CCTV દેખરેખ હેઠળ રહેશે. – 1,800 દિલ્હી પોલીસ કર્મચારીઓ અને 10 CRPF કંપનીઓની તૈનાતી. – રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને લાઇવ CCTV દેખરેખ સાથે સુવિધા આપવામાં આવી. – મતગણતરી માટે 700 કર્મચારીઓ, પૂરતી ટેબલ અને પાવર બેકઅપ વ્યવસ્થા. – કેમકાં, દિચૌન કાલા અને નારાયણા વોર્ડમાં પરિણામોમાં વિલંબની શક્યતા વધુ છે, કારણ કે અહીં વધુ બૂથ અને ઉમેદવારો છે. પ્રતિસ્પર્ધીઓ…
બિહારના શપથગ્રહણ સમારોહમાં ઐતિહાસિક ક્ષણ, નીતિશ કુમાર 10મી વખત મુખ્યમંત્રી બન્યા
બિહારમાં આજે રાજકીય ઈતિહાસ રચાયો છે. રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (NDA)ની જીત બાદ નીતિશ કુમારે પટનાના ઐતિહાસિક ગાંધી મેદાન ખાતે 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધો. તેમની સાથે NDAનાં સહ-મંત્રીઓએ પણ એકજૂથ રીતે શપથ લીધા. રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને નીતિશ કુમારને શપથ લેવડાવ્યો. બાદમાં સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહાએ મંત્રી તરીકે શપથ લીધા અને બંનેને ફરીથી ઉપમુખમંત્રી તરીકે નિમવામાં આવ્યા. સમારોહમાં વરિષ્ઠ નેતાઓની હાજરી શપથગ્રહણ સમારોહ ભવ્ય અને રાજકીય રીતે અત્યંત મહત્ત્વનો રહ્યો. આ પ્રસંગે: – વડા પ્રધાન નરેન્દ્ર મોદી – કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ – અનેક કેન્દ્રીય પ્રધાનો – NDAના તમામ ઘટક પક્ષોના વડાઓ અનેક BJP અને NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા, જે NDA માટે શક્તિ પ્રદર્શન સમાન માનવામાં આવ્યું. નવી મંત્રિમંડળમાં…
















