વંદે માતરમના પહેલા બે પેરા જ ગાશે કોંગ્રેસ, CWCમાં વલણ સ્પષ્ટ
રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ને લઈને કોંગ્રેસ અને સત્તા પક્ષ વચ્ચે ચાલી રહેલો રાજકીય વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. બુધવારે મળેલી કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC)ની બેઠકમાં ‘વંદે માતરમ’ અંગે પાર્ટીના વલણ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ કોંગ્રેસે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે પોતાના કાર્યક્રમોમાં ‘વંદે માતરમ’ના પહેલા બે પેરા જ ગાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, CWCની બેઠકમાં કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતાઓએ 1937માં પાર્ટી દ્વારા લેવામાં આવેલા નિર્ણયનો ઉલ્લેખ કર્યો હતો. કોંગ્રેસનું કહેવું છે કે ‘વંદે માતરમ’ અંગે તેનું વલણ કોઈ નવું નથી, પરંતુ સ્વતંત્રતા આંદોલનના સમયથી લેવામાં આવેલા ઐતિહાસિક નિર્ણય પર આધારિત છે. 1937ના નિર્ણયને કોંગ્રેસે ફરી યાદ કર્યો કોંગ્રેસ નેતા જયરામ રમેશે જણાવ્યું કે ‘વંદે માતરમ’ અંગે 1937માં કોંગ્રેસ દ્વારા એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ…
નેશનલ હેરાલ્ડ કેસ: ગાંધી પરિવાર સામે મની લોન્ડરિંગ અને મિલકત હડપ કરવાના ગંભીર આરોપો, જાણો શું છે આખો મામલો?
નેશનલ હેરાલ્ડ કેસ એક હાઇ-પ્રોફાઇલ કાનૂની વિવાદ છે જેમાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત ઘણા લોકો પર મની લોન્ડરિંગ, છેતરપિંડી અને સંપત્તિના દુરુપયોગનો આરોપ છે. આ મામલો એક બંધ અખબાર અને તેની સાથે સંકળાયેલી મિલકતોને લઈને શરૂ થયો હતો, જેણે હવે રાજકીય રંગ લઈ લીધો છે. નેશનલ હેરાલ્ડ અને એજેએલનો ઇતિહાસ:- નેશનલ હેરાલ્ડ અખબારની સ્થાપના ૧૯૩૮માં ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા કરવામાં આવી હતી. આ અખબાર સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન કોંગ્રેસ પાર્ટીનું મુખપત્ર બન્યું. તે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું, જેની સ્થાપના1963માં થઈ હતી. AJL પાસે દિલ્હી, મુંબઈ, લખનૌ અને અન્ય શહેરોમાં ઘણી અત્યંત મોંઘી મિલકતો હતી, જે તેને સરકારી છૂટછાટો પર મળી હતી. સમય…








