પીએમ મોદીના વિમાન પર આતંકી હુમલાની ધમકી આપનાર શખ્સ ઝડપાયો, માનસિક બીમાર હોવાનું આવ્યું સામે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બે દિવસીય અમેરિકા પ્રવાસ પહેલા તેમના વિમાનને આતંકવાદી ધમકી મળી છે, એમ મુંબઈ પોલીસે બુધવારે જણાવ્યું હતું . કોલ કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને તે માનસિક રીતે બીમાર હોવાનું કહેવાય છે. પોલીસે જણાવ્યું હતું કે ‘મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો કોલ કરનાર વ્યક્તિની ચેમ્બુર વિસ્તારમાંથી અટકાયત કરવામાં આવી છે.’ તે માનસિક રીતે બીમાર છે. મીડિયા રિપોર્ટ્સમાં મુંબઈ પોલીસને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ‘૧૧ ફેબ્રુઆરીના રોજ મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો હતો, જેમાં ચેતવણી આપવામાં આવી હતી કે પીએમ મોદીના વિમાન પર આતંકવાદીઓ હુમલો થઇ શકે છે કારણ કે તેઓ સત્તાવાર વિદેશ પ્રવાસ પર જઈ રહ્યા છે. માહિતીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પોલીસે અન્ય એજન્સીઓને તેની જાણ કરી અને તપાસ…
અમેરિકા-ચીન વચ્ચે વધતી નિકટતા, ટ્રમ્પ-જિનપિંગે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા પર ભાર મૂક્યો
તાજેતરમાં અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. આ સમય દરમિયાન, બંનેએ વેપાર, ફેન્ટાનાઇલ અને ટિકટોક જેવા મુદ્દાઓ ઉઠાવ્યા. બંને નેતાઓએ આ વાતચીતને રચનાત્મક અને સકારાત્મક ગણાવી છે, જેમાં ઘણા દ્વિપક્ષીય મુદ્દાઓ પર સંતુલન બનાવવા તરફ કામ કરવાનું કહેવામાં આવ્યું.ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે વેપાર એક મહત્વપૂર્ણ વિષય રહ્યો છે. અમેરિકા અને ચીન વચ્ચે વેપાર તણાવ ઘણા સમયથી ચાલી રહ્યો છે અને આ વાતચીતમાં આ તણાવ ઘટાડવા માટે નવા પગલાં લેવાની વાત કરવામાં આવી છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પર કહ્યું કે તેઓ વેપારને સંતુલિત કરવા અને વધુ સકારાત્મક પરિણામો લાવવા માટે પ્રતિબદ્ધ છે. -> ફેન્ટાનાઇલ અને તેની અસરો પર ચર્ચા :- ફેન્ટાનાઇલ એક અત્યંત શક્તિશાળી…








