Relief For Ration Card Holders In Gujarat 2026 Extension of Deadline: અન્ન અને પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીની મોટી જાહેરાત
Gujarat: સપ્ટેમ્બર-2026માં રેશનકાર્ડ ધારકોને મળશે ખાંડનો પૂરતો જથ્થો, વિતરણ અને ચલણ ભરવાની મુદત 3 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ Gujarat: તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) હેઠળ ખાંડના વિતરણને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના અંત્યોદય અને બી.પી.એલ. કેટેગરીના રેશનકાર્ડ ધારકોને તહેવારો દરમિયાન તેમની જરૂરિયાત મુજબ ખાંડ સરળતાથી મળી રહે તે માટે સરકાર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. અન્ન, નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું છે કે સપ્ટેમ્બર-2026 માસ માટે ખાંડનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત વાજબી ભાવની દુકાનદારો માટે સપ્ટેમ્બર-2026 માસની ખાંડ સહિત અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ચલણ ભરવાની છેલ્લી તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ નક્કી કરાયેલી સમયમર્યાદામાં ફેરફાર કરીને હવે ચલણ ભરવાની મુદત 3 સપ્ટેમ્બર, 2026…






