સુરત પાસે વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, UPના રાજ્યપાલ સુરક્ષિત; બે કોચના કાચને નુકસાન
મુંબઈથી અમદાવાદ તરફ દોડી રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર સુરત નજીક પથ્થરમારાની ઘટના સામે આવતા રેલવે સુરક્ષા સામે ફરી સવાલો ઊભા થયા છે. ટ્રેન નંબર 22961 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ સુરતથી આગળ વધી ઉત્રાણ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે અજાણ્યા શખ્સોએ ટ્રેન પર પથ્થરો ફેંક્યા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાના કારણે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. ટ્રેન 22961 મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ સુધી ચાલે છે અને સુરત તેનો મહત્વનો સ્ટોપ છે. સદ્ભાગ્યે આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી. ખાસ બાબત એ છે કે આ જ ટ્રેનમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ મુસાફરી કરી રહ્યાં હતાં. તેઓ સુરક્ષિત હોવાનું જણાવાયું છે. રાજ્યપાલની હાજરીને કારણે ઘટનાની ગંભીરતા વધુ…
‘ગાંજા કાંડ’ બાદ એર ઇન્ડિયાનો મોટો નિર્ણય, ગ્રૂપના તમામ પાયલટોનું ફરજિયાત ડ્રગ સ્ક્રીનિંગ
એર ઇન્ડિયા ગ્રૂપે પાયલટોની સલામતી અને મુસાફરોના વિશ્વાસને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. 13 ઓગસ્ટ 2026થી એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસના તમામ પાયલટોનું ફરજિયાત સાયકોએક્ટિવ સબસ્ટન્સ સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ તપાસમાં ઉડ્ડયન નિયમો હેઠળ પ્રતિબંધિત પદાર્થો અને કેટલીક પ્રતિબંધિત દવાઓની તપાસ કરવામાં આવશે. આ નિર્ણય 4 ઓગસ્ટની ફુકેત-દિલ્હી ફ્લાઇટ AI2379 સાથે જોડાયેલી ગંભીર ઘટનામાં પાયલટના મારિજુઆના ટેસ્ટના પોઝિટિવ પરિણામ બાદ લેવામાં આવ્યો છે. એર ઇન્ડિયાના તમામ પાયલટોની થશે તપાસ એર ઇન્ડિયાના નવા નિર્ણય હેઠળ માત્ર શંકાસ્પદ પાયલટો જ નહીં, પરંતુ ગ્રૂપના તમામ પાયલટોને સ્ક્રીનિંગ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આ ટેસ્ટ ટ્રેનિંગ સેશન દરમિયાન, ફ્લાઇટ બાદ તેમજ પાયલટોના નિર્ધારિત બેઝ અને અન્ય સ્થળોએ કરવામાં આવશે. કંપનીના ગુરુગ્રામ ટ્રેનિંગ એકેડેમી, ફ્લાઇટ બ્રીફિંગ સેન્ટર અને…
સોમાલિયા: એરપોર્ટ પરથી ઉડાન ભરતા વિમાનનું એન્જિન હવામાં ફેઇલ
સોમાલિયાના એડન એડ્ડે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભરતાની સાથે જ સ્ટાર સ્કાય એરલાઈન્સના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. વિમાનનું એન્જિન અને પંખા બંને ફેઇલ થઈ ગયાં, જેને કારણે વિમાન હિંદ મહાસાગરમાં ક્રેશ થયું હોવાનો જોખમ ઊભો થયો. જોકે, પાઇલટની સાહસિક અને નિષ્ઠાવાન કામગીરીના કારણે વિમાનમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહ્યા. દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. વિગતો પ્રમાણે, વિમાન એડન એરપોર્ટથી ગુરિયલ પ્રદેશ માટે ઉડાન ભરતું હતું ત્યારે એન્જિન ફેઇલ થઈ ગયું. પાઇલટે તરત જ વિમાનનું નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો અને એડન એરપોર્ટ પર પાછા ફરવાનું નક્કી કર્યું. વિમાન રનવે પર પહોંચતાં પહેલાં પલટી ગયું, પરંતુ પાઇલટ અને ક્રૂના ઝડપી પ્રતિકાર અને અનુભવના કારણે મુસાફરોને સુરક્ષિત રીતે બહાર લાવવામાં આવ્યા. સોમાલી નાગરિક ઉડ્ડયન…
ભુજ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી, હવામાં ત્રણ ચક્કર બાદ સલામત લેન્ડિંગ
દિલ્હીથી ભુજ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં લેન્ડિંગ સમયે ટેક્નિકલ ખામી સર્જાતા મુસાફરોમાં થોડીવાર માટે દહેશત ફેલાઈ ગઈ હતી. સાંજના 5:55 વાગ્યે ભુજ એરપોર્ટ પહોંચવાની હતી તે ફ્લાઈટે લેન્ડિંગ પહેલા આકાશમાં ત્રણ ચક્કર લગાવ્યા હતા. ટેક્નિકલ કારણોસર તરત લેન્ડ કરવાની મંજૂરી ન મળતા પાયલોટે પૂરતી સાવચેતી રાખી ચોથા પ્રયાસમાં વિમાનને સફળ અને સલામત રીતે ઉતાર્યું હતું. આ ઘટનાને કારણે ફ્લાઈટ અંદાજે 35 મિનિટ મોડી પહોંચી હતી. ભુજના આકાશમાં લાંબા સમય સુધી વિમાન ફરતું રહેતાં મુસાફરો ગભરાઈ ગયા હતા, જોકે અંતે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ આ સ્થિતિ રૂટિન પ્રક્રિયાનો જ ભાગ હતી અને કોઈ ગંભીર જોખમ નહોતું. ઘટનાની તકનિકી તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે…
નેશનલ હાઇવે નં. 48 પર બસનો ભીષણ અકસ્માત : ડ્રાઇવરનું મોત; ચાર ગંભીર
અમરેલીથી સુરત જઈ રહેલી એક લક્ઝરી બસ નેશનલ હાઇવે નં. 48 પર નડિયાદ નજીક ભીષણ અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માતના પગલે હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અકસ્માતમાં લક્ઝરી બસના ડ્રાઇવરનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે ચાર મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે. ઉપરાંત 15 જેટલા લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચતાં તેમને સારવાર માટે નજીકની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસમાં મુસાફરી કરી રહેલા લોકોના જણાવ્યા અનુસાર ડ્રાઇવરને અનેક વખત ગાડી ધીમી અને સાવચેતીપૂર્વક ચલાવવા માટે ટોકવામાં આવ્યો હતો, પરંતુ ડ્રાઇવરે તેમની વાત ધ્યાનમાં લીધી ન હતી. પરિણામે આ ગંભીર અકસ્માત સર્જાયો હોવાનો દાવો મુસાફરો દ્વારા કરવામાં આવ્યો છે. અકસ્માત બાદ ડ્રાઇવરનો મૃતદેહ બસની કેબિનમાં ફસાઈ ગયો હતો, જેને બહાર કાઢવા ફાયર બ્રિગેડની…
અમરેલી: ચિતલ-ખીજડિયા વચ્ચે ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર,જાણો વિગત
અમરેલી જિલ્લામાં ચિતલ અને ખીજડિયા વચ્ચે ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અજાણ્યા શખ્સોએ રેલવે ટ્રેક પર પથ્થરો અને લોખંડના ફેન્સિંગ પોલ (થાંભલા) ગોઠવી દીધા હતા, પરંતુ ટ્રેનના પાયલોટની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી અને સેકડો મુસાફરોનો જીવ બચી ગયો. ઘટનાની વિગત ટ્રેન ચિતલથી ખીજડિયા તરફ જતા સમયે ટ્રેક પર અચાનક અવરોધો દેખાયા. પાયલોટે તાત્કાલિક ઈમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને રોકી દીધું, જેના કારણે ભયંકર દુર્ઘટનાથી બચી શકાય. પોલીસ અને રેલવેની કામગીરી ઘટના જાણતા જ અમરેલી પોલીસ, રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. ટ્રેક પરથી પથ્થરો અને પોલ કબજે કરવામાં આવ્યા ફોરેન્સિક તપાસ શરૂ કરાઈ અજાણ્યા શખ્સોને પકડવા માટે આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું આ કાવતરું બતાવે છે કે રેલવે સુરક્ષા જાળવવી…
ઇન્ડિગો પર DGCAનો 22 કરોડનો દંડ ‘નામમાત્ર’, 61% મુસાફરો પરેશાન
ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો (IndiGo) સામે DGCA દ્વારા લાદવામાં આવેલા ₹22.2 કરોડના દંડથી મુસાફરો ખુશ નથી. તાજેતરના સર્વેક્ષણમાં 61% મુસાફરોનું માનવું છે કે ડિસેમ્બર 2025માં સર્જાયેલી ફ્લાઇટ કટોકટી માટે આ દંડ અને CEO-COOને આપવામાં આવેલી ચેતવણી પૂરતી નથી. તેઓ દાવો કરે છે કે કંપની માટે આ રકમ ‘લોટમાં મીઠા’ જેવી છે અને ભવિષ્યમાં આવી ભૂલો રોકવા માટે પ્રેરક નથી. શું હતું વિવાદ? 1 નવેમ્બરના નવા પાઇલટ અને ક્રૂ આરામ નિયમો (FDTL) લાગુ કરવામાં ઇન્ડિગો નિષ્ફળ રહી. પૂરતી તૈયારીના અભાવે ૩ થી ૫ ડિસેમ્બર વચ્ચે કંપનીએ 2,500થી વધુ ફ્લાઇટ્સ રદ કરી અને 1,900 ફ્લાઇટ્સ મોડીઓ પડી. પરિણામે, દેશભરના 3 લાખથી વધુ મુસાફરો એરપોર્ટ પર કલાકો સુધી અટવાયા. સર્વેમાં સામે આવેલા આંકડા LocalCircles દ્વારા 29૨ જિલ્લાઓમાં 31,000થી…
ઓડિશામાં વિમાન ક્રેશ-લેન્ડિંગ, પાયલોટની હિંમતથી બધા મુસાફરો સલામત
ઓડિશામાં આજે બપોરે એક ભયાનક વિમાન દુર્ઘટના ટળી, જ્યાં પાયલોટની હિંમત અને ઝડપી નિર્ણયના કારણે તમામ મુસાફરો સલામત રહ્યા. ભુવનેશ્વરથી છ મુસાફરોને લઇ ઉડેલી *‘ઇન્ડિયાવન એર’*ની નાની નવ-સીટવાળી ફ્લાઇટ રાઉરકેલા એરસ્ટ્રિપ નજીક જગડા બ્લોકમાં ક્રેશ-લેન્ડ થઈ ગઈ. પાયલોટ વિમાન જમીન પર પટકાયાની મિનિટો પહેલા જ ‘Mayday’ ડિસ્ટ્રેસ કોલ દ્વારા એર ટ્રાફિક કંટ્રોલને સંકટની જાણ આપી હતી. પાયલોટની હિંમત: વિમાન ચાર્લી-208 મોડેલ હતું, જે ભુવનેશ્વર એરપોર્ટથી બપોરે 12:27 વાગ્યે રવાના થયું હતું. લેન્ડિંગ પહેલા જ પાયલોટે જણાવ્યું કે વિમાનમાં ગંભીર યાંત્રિક ખામી સર્જાઈ છે અને રનવે સુધી પહોંચી શકાતું નથી. પાયલોટ કેપ્ટન નવીન કડાંગા અને સહ-પાયલટ તરુણ શ્રીવાસ્તવએ ખુલ્લા મેદાનમાં વિમાન ઉતારવાનું નિર્ધારણ કર્યું, જેથી રહેણાંક વિસ્તારોને નુકસાન ન પહોંચે. ફોર્સ્ડ લેન્ડિંગ દરમિયાન વિમાન જોરથી પટકાયું, જેના…
Surat : પક્ષી અથડાવાના કારણે ફ્લાઇટમાં વિલંબ, મુસાફરોને 12 કલાક સુધી રાહ જોવી પડી
સુરતથી બેંગકોક જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX-1227 સાથે સુરત એરપોર્ટ પર પક્ષી અથડાતા ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પક્ષી અથડાવાને કારણે વિમાનના એન્જિન અથવા પાંખના ભાગે નુકસાનની શક્યતા જોવા મળી, જેના લીધે ટેકનિકલ ટીમે તરત તપાસ હાથ ધરી. મૂલ્યાંકન પછી સલામતીને ધ્યાનમાં રાખીને ફ્લાઇટને ગ્રાઉન્ડેડ જાહેર કરવામાં આવી, જેનાથી નિર્ધારિત ઉડ્ડયનમાં મોટો વિલંબ થયો. મુસાફરોમાં ભારે હાલાકી ફ્લાઇટમાં કુલ 133 મુસાફરો સવાર હતા. પ્લેન ગ્રાઉન્ડેડ થતા મુસાફરો એરપોર્ટ પર અટવાઈ પડ્યા અને અંદાજે 12 કલાક સુધી રાહ જોવાઈ. એરલાઇન્સ તરફથી તાત્કાલિક કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવવાથી મુસાફરોમાં રોષ જોવા મળ્યો. બીજું પ્લેન મોકલાયું પરિસ્થિતિને સુલજાવવા માટે એરલાઇન્સે જયપુરથી સુરત જતી બીજી ફ્લાઇટને ડાયવર્ટ કરીને સુરત મોકલી. આ વૈકલ્પિક વિમાન રાત્રે 7:45 વાગ્યે સુરત પહોંચ્યું. તમામ…
















