ઓડિશામાં વિમાન ક્રેશ-લેન્ડિંગ, પાયલોટની હિંમતથી બધા મુસાફરો સલામત

ઓડિશામાં આજે બપોરે એક ભયાનક વિમાન દુર્ઘટના ટળી, જ્યાં પાયલોટની હિંમત અને ઝડપી નિર્ણયના કારણે તમામ મુસાફરો સલામત રહ્યા. ભુવનેશ્વરથી છ મુસાફરોને લઇ ઉડેલી *‘ઇન્ડિયાવન એર’*ની નાની નવ-સીટવાળી ફ્લાઇટ રાઉરકેલા એરસ્ટ્રિપ નજીક જગડા બ્લોકમાં ક્રેશ-લેન્ડ થઈ ગઈ. પાયલોટ વિમાન જમીન પર પટકાયાની મિનિટો પહેલા જ ‘Mayday’ ડિસ્ટ્રેસ કોલ દ્વારા એર ટ્રાફિક કંટ્રોલને સંકટની જાણ આપી હતી.

પાયલોટની હિંમત:
વિમાન ચાર્લી-208 મોડેલ હતું, જે ભુવનેશ્વર એરપોર્ટથી બપોરે 12:27 વાગ્યે રવાના થયું હતું. લેન્ડિંગ પહેલા જ પાયલોટે જણાવ્યું કે વિમાનમાં ગંભીર યાંત્રિક ખામી સર્જાઈ છે અને રનવે સુધી પહોંચી શકાતું નથી. પાયલોટ કેપ્ટન નવીન કડાંગા અને સહ-પાયલટ તરુણ શ્રીવાસ્તવએ ખુલ્લા મેદાનમાં વિમાન ઉતારવાનું નિર્ધારણ કર્યું, જેથી રહેણાંક વિસ્તારોને નુકસાન ન પહોંચે. ફોર્સ્ડ લેન્ડિંગ દરમિયાન વિમાન જોરથી પટકાયું, જેના કારણે પાંખો અને આગળનો ભાગ ભારે નુકસાન પામ્યા.

દુર્ઘટના પાછળની શંકા અને તપાસ:
પ્રાથમિક માહિતી અનુસાર દુર્ઘટનાની પાછળ યાંત્રિક ખામી (Mechanical Failure) હોવાની સંભાવના છે. DGCA (નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય) અને AAIB (એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો) એ ઊચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. રવિવારે દિલ્હી અને કોલકાતા થી નિષ્ણાતોની ટીમ રાઉરકેલામાં પહોંચી વિમાનના બ્લેક બોક્સ અને એન્જિનની તપાસ કરશે.

પાયલોટનો નિર્ણય, મૃત્યુ ટળી:
આ ઘટના રાઉરકેલાના આકાશમાં એક હાઇ-વોલ્ટેજ ડ્રામા સર્જી, સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. તેમ છતાં પાયલોટની ઝડપી અને સુઝબૂઝભરી કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળી, જે મુસાફરો અને સ્થાનિકો માટે રાહતની વાત છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in

Related Posts

EPFOનો મોટો નિર્ણય: ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે PFની પગાર મર્યાદા ₹15,000થી વધીને ₹25,000 થશે

ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) સાથે જોડાયેલા કર્મચારીઓ માટે સરકાર મહત્વપૂર્ણ ફેરફાર કરવાની તૈયારીમાં છે. નાણાં મંત્રાલયે અનિવાર્ય પ્રોવિડન્ટ ફંડ (PF) અને એમ્પ્લોઈ પેન્શન સ્કીમ (EPS) હેઠળ આવતી પગાર મર્યાદા ₹15,000 પ્રતિ માસથી વધારીને ₹25,000 પ્રતિ માસ કરવાની મંજૂરી આપી દીધી છે. હવે આ પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટની અંતિમ મંજૂરી મળ્યા બાદ નવી વ્યવસ્થા અમલમાં આવશે. આ નિર્ણય અમલમાં આવ્યા બાદ અત્યાર સુધી PFના દાયરાથી બહાર રહેલા હજારો નહીં પરંતુ લાખો ખાનગી કર્મચારીઓને સામાજિક સુરક્ષાનો સીધો લાભ મળશે. નિષ્ણાતોના મતે, આ પગલું સંગઠિત ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ માટે લાંબા ગાળે નાણાકીય સુરક્ષા મજબૂત બનાવશે. EPFOનો શું છે હાલનો નિયમ? હાલની વ્યવસ્થા મુજબ જે કર્મચારીઓનો…

પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાના સંકેત? ટ્રમ્પના નિવેદન બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં 5%નો કડાકો

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો નોંધાતા ભારતના પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળવાની આશા વધી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કૂટનીતિક વાટાઘાટો શરૂ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં અચાનક ઘટાડો જોવા મળ્યો છે. ટ્રમ્પના નિવેદન બાદ રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ ઓછો થઈ શકે છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની સપ્લાય અંગેની ચિંતા ઘટી છે અને ભાવમાં ઘટાડો નોંધાયો છે. ટ્રમ્પની જાહેરાતથી પેટ્રોલ-ડીઝલ બજારમાં હલચલ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર સંભવિત સૈન્ય કાર્યવાહી હાલ માટે ટાળવાનો નિર્ણય જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે ઈરાન સાથે સીધી વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.…