સંસદનું શિયાળુ સત્ર 1 ડિસેમ્બરથી શરૂ થશે, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ આપી માહિતી

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જાહેરાત કરી છે કે સંસદનું શિયાળુ સત્ર 1 થી 19 ડિસેમ્બર સુધી ચાલશે. મોદી સરકારમાં સંસદીય બાબતોના મંત્રી રિજિજુએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના શિયાળુ સત્રને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “અમે એક અર્થપૂર્ણ સત્રની આશા રાખીએ છીએ જે લોકશાહીને મજબૂત બનાવે અને લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરે.” સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી 21 ઓગસ્ટ સુધી ચાલ્યું. આ સત્રના પહેલા જ દિવસે રાજ્યસભાના તત્કાલીન અધ્યક્ષ જગદીપ ધનખડે રાજીનામું આપ્યું. પાછલા સત્રમાં SIR અને ઓપરેશન સિંદૂરના મુદ્દાઓ પર ભારે હોબાળો થયો હતો. આ સત્રમાં કુલ 21 બેઠકો યોજાઈ હતી. આ સત્રમાં રાજ્યસભામાં 15 અને લોકસભામાં 12 બિલ પસાર થયા હતા. આ સત્ર ટૂંકું રહેશે સંસદનું આ સત્ર અન્ય સત્રો કરતાં ટૂંકું…