રાજ્યસભામાં વક્ફ બિલ થયું રજૂ, રિજિજુએ કહ્યું- સમર્થનમાં એક કરોડ સૂચનો મળ્યા

રાજ્યસભામાં વકફ સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ રાજ્યસભામાં બિલ રજૂ કરીને તેમના સંબોધનની શરૂઆત કરી છે. રિજિજુએ કહ્યું કે દેશની આઝાદી પછી, 1954 માં, રાજ્યોમાં વકફ અંગે એક બોર્ડની રચના કરવામાં આવી હતી. આ અંગેનો વિગતવાર કાયદો ૧૯૯૫માં આવ્યો. વકફ અંગે સ્પષ્ટ કાયદા બનાવવામાં આવ્યા. વર્ષ 2013 માં, યુપીએ સરકારે ચૂંટણી સમયે વકફ કાયદામાં કેટલાક ફેરફારો કર્યા. તે સમયે JPC ની રચના પણ કરવામાં આવી હતી, જેમાં 13 સભ્યો હતા. આ વખતે ૩૧ સભ્યો હતા. તે વખતે JPC ની 22 બેઠકો હતી અને આ વખતે 36 બેઠકો હતી. તે સમયે, 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ચર્ચા કરવામાં આવી હતી અને આ વખતે 25 રાજ્યોની સાથે ઘણી અન્ય સંસ્થાઓ…