પરીક્ષા પે ચર્ચા: વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ પર પીએમ મોદીના ખાસ મંત્ર
‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમન્ત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ, માતા-પિતા અને શિક્ષકો સાથે દિલથી વાત કરી. પરીક્ષા સમયે આવતો તણાવ, વાંચેલું યાદ ન રહેવું, મોબાઈલ-ગેમિંગ અને ઈન્ટરનેટની વધતી લત જેવા મુદ્દાઓ પર તેમણે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું. પીએમ મોદીએ કહ્યું કે પરીક્ષાને જીવનનો અંત ન માનવો જોઈએ. પરીક્ષા એ જીવનનો એક પડાવ છે, દબાણ નહીં પરંતુ તક તરીકે જોવી જોઈએ. તેમણે વિદ્યાર્થીઓને સલાહ આપી કે વાંચતી વખતે મન એકાગ્ર રાખો, સમજ સાથે અભ્યાસ કરો—માત્ર રટણ પર ભાર ન આપો.ગેમિંગ અને ઈન્ટરનેટ અંગે તેમણે જણાવ્યું કે ટેક્નોલોજી ખરાબ નથી, પરંતુ તેનો અતિઉપયોગ નુકસાનકારક બની શકે છે. સમયનું આયોજન કરો, પોતાને જાતે શિસ્તમાં રાખો અને ડિજિટલ ડિટોક્સ અપનાવો.તણાવ દૂર કરવા માટે પીએમ મોદીએ યોગ, ધ્યાન, નિયમિત ઊંઘ અને સકારાત્મક…
‘પરીક્ષા પે ચર્ચા 2026’: 9મી આવૃત્તિ જાન્યુઆરીમાં, 1 ડિસેમ્બરથી સ્પર્ધા શરૂ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદ્યાર્થીઓ સાથેના અનોખા ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ, ‘પરીક્ષા પે ચર્ચા’ની 9મી આવૃત્તિ જાન્યુઆરી-2026માં યોજાવાની છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ધોરણ-6 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો – વાલીઓ માટે તા. 1 ડિસેમ્બરથી 11 જાન્યુઆરી 2026 દરમિયાન https://innovateindia1.mygov.in પર ઓનલાઈન MCQ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા દ્વારા સહભાગીઓને તેમના પ્રશ્નો વડાપ્રધાનને સંબોધવા માટે આમંત્રિત કરવામાં આવે છે. NCERT દ્વારા શોર્ટલીસ્ટ કરવામાં આવેલા પસંદગીના પ્રશ્નોનો ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સહભાગીઓને NCERT દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે. આ કાર્યક્રમના પ્રચાર-પ્રસાર માટે શાળાઓએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને #PPC2026 ટેગનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ તથા શાળાઓ પોતાના પોસ્ટર-ક્રિએટિવ વિડિયો વગેરે બનાવીને પણ પોસ્ટ કરી…








