વાટાઘાટો નિષ્ફળ! પાક-અફઘાન તણાવ ચરમસીમાએ, ખ્વાજા આસિફના યુદ્ધ સંકેતથી ચકચાર
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધવિરામ વાટાઘાટો આખરે નિષ્ફળ નીવડી છે. બંને દેશોના સરકારી માધ્યમોએ વાટાઘાટો તૂટી પડવા માટે એકબીજાને જવાબદાર ઠેરવ્યા છે. પાકિસ્તાની અધિકારીઓના જણાવ્યા મુજબ, કાબુલ સરકારે પાકિસ્તાનની “કાયદેસર માંગણીઓ” સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે વાટાઘાટો અટકી ગઈ છે. પાકિસ્તાનની મુખ્ય માંગણીઓ પાકિસ્તાને અફઘાનિસ્તાન પાસે સ્પષ્ટ ખાતરી માંગી હતી કે તેની જમીનનો ઉપયોગ પાકિસ્તાન વિરુદ્ધ આતંકવાદી હુમલાઓ માટે નહીં કરવામાં આવે. પાકિસ્તાની રક્ષણ અધિકારીઓએ જણાવ્યું કે અફઘાનિસ્તાનમાં રહેલી તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ની પ્રવૃત્તિઓ સતત વધતી જઈ રહી છે, જેના કારણે સરહદી વિસ્તારોમાં અશાંતિ વધી રહી છે. અફઘાનિસ્તાને તેના પ્રતિભાવમાં જણાવ્યું કે તેની ટીમ રચનાત્મક વાટાઘાટો માટે પ્રતિબદ્ધ હતી, પરંતુ પાકિસ્તાની પક્ષે હઠીલો વલણ અપનાવ્યું. ખ્વાજા આસિફનું વિવાદાસ્પદ નિવેદન વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ…







