નવા-જૂનીના એંધાણ ! અમેરિકાએ તેના નાગરિકોને જમ્મુ-કાશ્મીર ન જવા એડવાઇઝરી કરી જાહેર
22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. ‘મીની સ્વિટ્ઝર્લૅન્ડ’ તરીકે ઓળખાતી બૈસરન ખીણમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે 17 થી વધુ લોકો ઘાયલ થયા છે. લશ્કર-એ-તૈયબાના સહયોગી જૂથ, રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. બીજી તરફ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે નાગરિકોને જમ્મુ અને કાશ્મીરની મુસાફરી ન કરવાની સલાહ આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતના ઘણા શહેરો હાઇ એલર્ટ પર છે. અમેરિકી નાગરિકોને યાદ અપાવવામાં આવે છે કે વિદેશ વિભાગે જમ્મુ અને કાશ્મીર માટે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે. અમેરિકાએ તેમના નાગરિકોને જમ્મુ અને કાશ્મીરની મુસાફરી ન કરવાની સલાહ આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે…







