ગુજરાતમાં ભાજપ દ્વારા સંગઠન મજબૂત કરવાની કવાયત: 42 જિલ્લા-મહાનગર અને 7 મોરચાના પ્રભારીની નિમણૂક

ગુજરાત ભાજપ દ્વારા રાજ્યવ્યાપી સંગઠનને વધુ સક્રિય અને સશક્ત બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. પ્રદેશ પ્રમુખ દ્વારા 42 જિલ્લા અને મહાનગર માટે પ્રભારીઓ તેમજ 7 પ્રદેશ મોરચાઓના પ્રભારીની સત્તાવાર નિમણૂક જાહેર કરવામાં આવી છે. પાર્ટીના મુખ્ય કાર્યાલય ‘શ્રી કમલમ’ ગાંધીનગર માંથી બહાર પડેલા નિમણૂક પત્રમાં વિવિધ વિસ્તારોના વરિષ્ઠ અને અનુભવી કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે યુવા મોરચાના પ્રભારી તરીકે કિરીટ પટેલની નિમણુંક કરવામાં આવી છે. સુરત, રાજકોટ, અમદાવાદ, વડોદરા જેવા મહાનગરો ઉપરાંત તાપી, નર્મદા, પોરબંદર, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં પણ નવા પ્રભારીઓ નિયુક્ત કરાયા છે. આ નિયુક્તિઓ પાછળ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી વ્યૂહાત્મક ગોઠવણ કરવામાં આવી હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં તેજ બની છે. પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર, દરેક પ્રભારીને પોતાના…