દિવાળી પર શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગ 21 ઑક્ટોબરે, જાણો સમય અને વિગતો

દિવાળીની ઉજવણીની સાથે શેરબજારમાં પણ પરંપરાગત રીતે મુહૂર્ત ટ્રેડિંગ સત્ર યોજાય છે. આ વર્ષ 2025માં મંગળવાર, 21 ઑક્ટોબરના રોજ મુહૂર્ત ટ્રેડિંગ રહેશે. દાયકામાં પહેલી વખત, આ ટ્રેડિંગ બપોરે યોજાશે, જે સામાન્ય રીતે સાંજના સમયે થતું હતું. મુહૂર્ત ટ્રેડિંગ સમયસૂચિ: – પ્રી ઓપન સત્ર: બપોરે 1:30 થી 1:45 – મુખ્ય ટ્રેડિંગ: બપોરે 1:45 થી 2:45 – ક્લોઝિંગ સત્ર: બપોરે 2:55 થી 3:05 દિવાળીના આ શુભ અવસર પર રોકાણકારો નવા નાણાકીય વર્ષની શુભ શરૂઆત માનીને ટ્રેડિંગ કરતા હોય છે. NSE અને BSE બંને આ ખાસ સત્રનું આયોજન કરે છે. આ વર્ષે પણ રોકાણકારો દ્વારા સકારાત્મક ભાવના સાથે માર્કેટમાં પ્રવેશની અપેક્ષા છે. જો કે, રેગ્યુલર ટ્રેડિંગ સત્ર 20 અને 22 ઑક્ટોબર પર બંધ રહેશે.   Follow us On Social…